[Painting by Donald Zolan]
*
[સ્વર – મનહર ઉધાસ]
*
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરાયે મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તું સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
– અમૃત ઘાયલ