જો તુ કદમ થી કદમ મલાવે,
તો મને રસ્તો મલી જાય,
જો તુ શ્વાસ થી શ્વાસ મેહકાવે,
તો મને જીવવાનો આશરો મલી જાય,
જો તુ દિલ થી દિલ મલાવે,
તો મને પ્રેમ થઇ જાય,
જો તુ નજરો થી નજર મલાવે,
તો મને તારો વિશ્વાસ મરી જાય,
જો તુ શબ્દોનો સાથ પુરાવે,
તો મારી કવિતા પુરી થઇ જાય,
—હિરેન પટેલ
ખુબ ખુબ અભિનંદન .. આજે પ્રથમ વાર મુલાકાત લીધી
આજે પહેલી વખત આપના બ્લોગની મુલાકાત લીધી… ખૂબ સરસ!
ઇશ્વ્રર બધેજ છે
હુ તારામાં તું મારામાં, તને પરખી ગયો પલકારામાં.
હું તારામાં તું મારામાં….
આ સૂરજના અંગારામાં, આ શિતળ શશીની છાયામાં,
આ તારાઓનાં ઝબકારામાં, તને પરખી ગયો પલકારામાં.
હું તારામાં તું મારામાં…..
લખ ચોર્યાસી વણઝારામાં, આ જનમોજનમનાં ફેરામાં,
આ પલપલ ધબકતા હૈયામાં, તને પરખી ગયો પલકારામાં.
હું તારામાં તું મારામાં…..
પ્રભુ તારી નૈયા ના સથવારે, આ ભવસાગર તરવો મારે,
આ માયા તણા ચકડોળામાં, તને પરખી ગયો પલકારામાં.
હું તારામાં તું મારામાં…..
લી. આપનો દાસ…
ચંદ્રેશ દવે (દાસ ભગત)
જો તું
જો તુ કદમ થી કદમ મલાવે,
તો મને રસ્તો મલી જાય,
જો તુ શ્વાસ થી શ્વાસ મેહકાવે,
તો મને જીવવાનો આશરો મલી જાય,
જો તુ દિલ થી દિલ મલાવે,
તો મને પ્રેમ થઇ જાય,
જો તુ નજરો થી નજર મલાવે,
તો મને તારો વિશ્વાસ મરી જાય,
જો તુ શબ્દોનો સાથ પુરાવે,
તો મારી કવિતા પુરી થઇ જાય,
—હિરેન પટેલ
પાછલા પહોરે
સ્મૃતિના ઝરણાંથી
ઉડીને પારેવડું બેઠું
આજ મારા શમણામાં
ચાંદના ઢળતા અજવાળાને
ભૂંસવા ને સૂરજ થયો સવાર
લાવશે કિરણોનો મેળો
બ્રહ્માંડ ખીલશે આજ મોજથી.
ઝબુકતી વીજળી ને સાત રંગ
લઈને આવ્યો મેઘધનુષ
અનેક રંગની માળા લાગે સુંદર
સમીર આજ સંતાયો ભૂધરામાં
અનંત નાદ શંખનો
ઘેરાયો મંદિરના ગોપુરમ્ માં
આળસ મરડીને થયો
ઊભો જીવ શિવલિંગમાંથી
અજંપ સ્વર્ગીલી દુનિયાને
ઢંઢોળવા ફરી એક વખત
મને લખવાનુ મન ઘણું થાય છે..
બાવળની પાલી
આંબાના મોરની વાતું કેમ થાય અમે તો બાવળની પાલી,
જાગ્યાં છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.
વરસો પહેલા જગજાહેર થતું
હાલ સૌ જાણે છે તોય છાનુંમાનું,
સાથે સાથે સદા બીજું પણ
ગળું દબાયું છે મમતાનું.
એક ઘુંટડાની તરસી અમને દૂધમાં દીધી આખીય ઘાલી.
જાગ્યાં છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.
આપમેળે જે ઊગી નીકળે એવા,
ઘાસફૂસની હોય શી માવજત!
ખાતર પાણી તો છોડવાને હોય
આખર છે સાચી એ મિલકત.
મહેણાં, ટોણા ગળી રે જઈને જીભે બોલી રાખું કાલી કાલી.
જાગ્યાં છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.
માથે મુક્યું આ હળહળતું આળ
છીએ અમે સાપના ભારા,
પારખ હતા તોય પાછા પડ્યા
ન જળવાય તુલસી ક્યારા.
ક્યારામાં તુલસી રોપીને આરતી ઉતારે સાવ ખાલી ખાલી
જાગ્યાં છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.
ઘર, કુળ, દેવ, નામ, ગામેય બદલાય
આ તે કેવું લાગે છે આસન !
અંતવેળા તમને માટીની ઘેલછા
જુગથી જુદા અમારા સ્મશાન.
મસાણની રાખનો ખોબો ભરીને, બોલે કે હતી બહુ વ્હાલી.
જાગ્યાં છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.
વિપુલ પરમાર ‘હાસ્ય’
કંઈ જામી છે !
કોઠો પ્રેમનો અમય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !
કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,
નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !
નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,
સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !
ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી
કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !
આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને જોયું તો
સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો,કંઈ જામી છે !
બળબળતા સૂરજની ઉપરવટ અકળા ફરતાં’તા ‘હાસ્ય’
આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !
– વિપુલ પરમાર ‘હાસ્ય’
માનવી ,સમય જતા બદલે આ માનવી..
સર્જનહારની સર્વોતમ કૃતિ એટલે માનવી..
છે તેના મનદ્રીપમા અહકારના બેસણા,
જ્યા હોવા જોઈએ ઈશવરના બેસણા..
બન્યો છે માનવી વૈભવ-વિલસની કામનાથી કલુષિત,
અરે માનવી,ખરેખર વૈભવના સુખ સાગરમા થતી હોત જો ,
સ્વર્ગની અનૂભુતિ…તો,
લોભ,ઈષ્ર્યા,વૈભવ સર્જત ઈશુ,રામ,કિશ્ન……….
એક અણુ કાવ્ય
———————–
ઈશુ
ઈ
શુ ??