Press "Enter" to skip to content

નીલ ગગનના પંખેરુ


આમ તો આ ગીત એક પંખીને સંબોધીને લખાયેલું છે, પણ જે વ્યક્તિઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પણ એટલું જ લાગુ પડે છે. વરસોના મધુર સંભારણા આપીને પછી જ્યારે કોઈ વ્યક્તિ દૂ….ર જતી રહે છે ત્યારે આવી જ બેકરારી, બેચેની, અકળામણ થાય, ખરું ને ? ગીતના શબ્દો અને ભાવ એટલો હૃદયસ્પર્શી છે કે દરેકને સ્મૃતિના પ્રવાહમાં તાણી જાય.
*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – મુકેશ

*
ઓ નીલ ગગનના પંખેરુ તું કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…

સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરીયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…

તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…

મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવુ વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…

21 Comments

  1. Chintan Hingoo
    Chintan Hingoo June 1, 2024

    A very beautiful song, aabhar….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.