Press "Enter" to skip to content

Category: મુકેશ

નજરના જામ છલકાવીને


આજે એક જૂનું પરંતુ યાદગાર ગીત જેને મુકેશનો સ્વર સાંપડ્યો હતો. ફિલ્મ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) માટે ગવાયેલ આ ગીતનું સંગીત જાણીતા સંગીતકાર કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું.
*

*
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો

જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો

પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા

વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

– બરકત વિરાણી ‘બેફામ’

4 Comments

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું


સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં.
*
સ્વર- મુકેશ

*
આલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર

*
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

– મુનિ શ્રી ચિત્રભાનુ

18 Comments

ચાલ્યા જ કરું છું


સ્વ. મૂકેશને કંઠે ગવાયેલ કેટલાક યાદગાર ગીતોમાંનું આ ગીત સાચે જ અર્થસભર છે. માનવ જન્મે ત્યારથી ચાલ્યા જ કરે છે. એને ખબર નથી હોતી કે એની મંઝિલ શું છે, એણે આ જન્મ પામીને શું મેળવવાનું છે, ક્યાં પહોંચવાનું છે. મારા ઘરમાં જ મુજને ક્યાં જવું એ ખબર નથી … મુંઝવણને સુંદર વાચા આપે છે. વળી જેણે બનાવ્યો એને બનાવ્યા કરું છું …પણ કેટલું ચોટદાર છે.
*
સ્વર – મુકેશ

*
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું … ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું … ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું

(આ ગીતની ફરમાઈશ કરનાર મિત્ર – નવનીત પરમાર)

8 Comments

મારું મન મોહી ગયું


આજે જ્યારે પનઘટ, બેડલા, પાણી ભરવા જતી પનિહારીઓ અને ગ્રામ્ય પરિવેશ અદૃશ્ય થવાની તૈયારીમાં છે ત્યારે અવિનાશભાઈની આ સુંદર રચના આપણને નૈસર્ગિક તાજગીથી છલકાતા ગ્રામ્ય ભાતીગળમાં તાણી જાય છે. માણો સુમધુર સંગીતથી મઢેલ આ સુંદર ગીતને.
આલ્બમ : અમર સદા અવિનાશ

*
સ્વર- મુકેશ

*
સ્વર – મનહર ઉધાસ

*
તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું,

કેડે કંદોરો ને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું.

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું.

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું.

તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું.

– અવિનાશ વ્યાસ

13 Comments

નીલ ગગનના પંખેરુ


આમ તો આ ગીત એક પંખીને સંબોધીને લખાયેલું છે, પણ જે વ્યક્તિઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પણ એટલું જ લાગુ પડે છે. વરસોના મધુર સંભારણા આપીને પછી જ્યારે કોઈ વ્યક્તિ દૂ….ર જતી રહે છે ત્યારે આવી જ બેકરારી, બેચેની, અકળામણ થાય, ખરું ને ? ગીતના શબ્દો અને ભાવ એટલો હૃદયસ્પર્શી છે કે દરેકને સ્મૃતિના પ્રવાહમાં તાણી જાય.
*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – મુકેશ

*
ઓ નીલ ગગનના પંખેરુ તું કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…

સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરીયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…

તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…

મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવુ વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…

21 Comments

પંખીડાને આ પીંજરુ


જ્યારે ઉંમર થઈ જાય, શરીર સાથ ન આપે, જીવવાની જીજીવિષા સાવ નામશેષ થઈ જાય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે. એને ફરી યુવાન થવાના, નવો દેહ ધારણ કરવાના અને નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગે છે. આ ગીતમાં એ બખૂબીથી વર્ણવેલું છે. મૂકેશના કંઠે ગવાયેલ આ ગીત દરેક ગુજરાતીએ ક્યારેક ને ક્યારેક ગણગણ્યું હશે. ચાલો માણીએ અવિનાશભાઈની અમર કૃતિ.
*
સ્વર – મુકેશ

*
સ્વર – સોલી કાપડીઆ

*
પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

– અવિનાશ વ્યાસ

15 Comments