Press "Enter" to skip to content

સાથે લઈ અમે નીકળ્યાં હતાં


*
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અર્પણ
*
કેટલા અરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા,
હોઠ પર મુસ્કાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

કામધંધા કાજ રહેતા’તા ભલે પરદેશમાં,
દેશનું અભિમાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

મિત્ર-સ્નેહીઓ-સંબંધી, ગામ-શેરી-ઘર-ગલી
સૌનું હૈયે ધ્યાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

*જિંદગી તો બેવફા હૈ .. જાણતા’તા, ને છતાં,
જિંદગીનું ગાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી,
મોતનું ફરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા !

મ્હેંકશે વરસો સુધી સાથે વીતાવેલી ક્ષણો,
ફક્ત એ વરદાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
ज़िन्दगी तो बेवफा है एक दिन ठुकराएगी
मौत मेहबूबा है अपने साथ लेकर जाएगी
ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ના સુપ્રસિદ્ધ ગીતની પંક્તિઓ
*

One Comment

  1. Govid Maru
    Govid Maru June 16, 2025

    અમદાવાદમાં એર ઈન્ડીયાના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પ્રવાસીઓ તેમ જ મૃત્યુ પામેલ આશાસ્પદ ઈન્ટર્ન ડૉક્ટરો/અન્ય લોકોને ‘અભીવ્યક્તી’ રૅશનલ વાચનયાત્રા પરીવાર તરફથી આદરપુર્વક ભાવાંજલી… 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.