પ્રેમમાં પડનાર બધા ખુશનસીબ નથી હોતા. ઘણાંને સંબંધોમાંથી છળ, વિશ્વાસઘાત કે દર્દ મળે છે. એથી જ દરેક પ્રેમી એવી આશા રાખે કે એનો પ્રેમ સદાય ફુલો જેવો તાજગીસભર રહે, એનું પ્રિય પાત્ર એના હૃદયની લાગણીઓને સમજે, સાચવે અને સંભાળે, એને ઠેસ ના પહોંચાડે. એવા જ ભાવથી ભરેલ અદી મિરઝાની એક સુંદર ગઝલ, જેને મનહર ઉધાસનો મખમલી કંઠ મળ્યો છે તે રજૂ કરું છું.
*
સ્વરઃ મનહર ઉધાસ
*
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.
દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.
રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.
દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.
– અદી મિરઝા
દીધા સરોવર અમે તો અશ્રુના ભરીને; જો જો શુકાય ના, સાચવીને રાખજો………
દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.
તમારી મહેનત રંગ લાવી છે. વાહ ભાઈ વાહ, મને તો પહેલેથી આ બધું ગમે છે. જાણે મારા વિચારોને વાચા મળી.
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.
દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.
અદી મિર્ઝાની આ સુંદર રચનાને ઘણાં સમયથી સાંભળવાની ઈચ્છા હતી,આજે અચાનક જ ખાંખાખોળા કરતા આ રચના મળી આવી.
આટલો સુંદર બ્લોગ બનાવ્યો અને આપે કોઈને જાણ પણ ન કરી ?