Press "Enter" to skip to content

આપનું મુખ જોઈ


આજે આદિલ મન્સૂરીની એક સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*

*
દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો.
*
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

– ‘આદિલ’ મન્સૂરી

3 Comments

  1. preetam lakhlani
    preetam lakhlani July 8, 2009

    પ્રિય મિત્રો, આ ગઝ્લ આદિલ સાહેબ ની છે પણ ગઝ્લ પહેલા મુકાયેલુ મુકત shaif palnpuri nu Che…

  2. kanchankumari parmar
    kanchankumari parmar July 5, 2009

    ઝીલ્યું છે પ્રતિબિંબ આપનું આ આંસુઓને તેને દેવું વહેવડાવી તમે જ કહો કેમ પાલવે.
    ખુબજ સરસ ગઝલ..

  3. P Shah
    P Shah June 27, 2009

    જાગવાનું મન ઘણુંયે થાય છે.
    આંખ ખોલું છું તો સપનાં જાય છે……

    સુંદર ગઝલ !

    મનહર ઉધાસના સ્વરમાં માણવાને મઝા આવી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.