Press "Enter" to skip to content

નારાયણનું નામ જ લેતાં


હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં.
*

*

*

*
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.

કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે … નારાયણનું નામ.

– નરસિંહ મહેતા (સાભાર – સ્વર્ગારોહણ )

6 Comments

  1. Arun S Bhatt
    Arun S Bhatt July 30, 2011

    અરુણ આપને અભિનંદન આપે છે. બહુ સરસ ભજન, આપનો ખુબ આભાર.

  2. Vimal
    Vimal December 21, 2009

    ખુબ સરસ મારુ ગમતુ ભજન.

  3. Anil Patel
    Anil Patel December 18, 2009

    excellent Gujarati Prabhatiyu.

  4. Dr. Chandravadan Mistry
    Dr. Chandravadan Mistry December 11, 2009

    ગમતું ભજન..જુદા જુદા ગાયકોના સ્વરે સાંભળી, આનંદ.
    Inviting ALL to my Blog Chandrapukar !

  5. Pancham Shukla
    Pancham Shukla December 9, 2009

    સરસ ભજન. સહજ અને કુદરતી રીતે થયેલું એનું ગાન ભાવવાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.