ગોપીઓ અને ગોપબાળોને ગોકુળમાં મુકીને કૃષ્ણ કર્તવ્યની રાહે મથુરા ગયા ત્યારે કૃષ્ણના વિરહમાં પીડાતી ગોપીની મનોભાવનાને આ ગીત વ્યક્ત કરે છે. મથુરાથી ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓને જ્ઞાનનો સંદેશ આપી સાંત્વના ધરવા પ્રયાસ કરે છે પણ અવ્યક્ત કરતાં વ્યક્તને માનનાર ગોપીઓને એ ગળે ઉતરતું નથી. તેઓ ઉદ્ધવજી મારફત કૃષ્ણને સંદેશ મોકલે છે. ગીતના અંતભાગમાં .. કુબ્જાને પટરાણી કહેશું વિરહની આગ વ્યક્ત કરે છે. સ્ત્રી સામાન્ય રીતે બીજી પ્રેયસીને ધિક્કારતી હોય છે પણ કૃષ્ણ કોઈ રીતે પણ જો ગોકુળ આવતા હોય તો કુબ્જાને પટરાણી કહેવા તેઓ રાજી છે. માણો ભગા ચારણ રચિત હૃદયસ્પર્શી પદ.
*
લતા મંગેશકર
*
*
ઐશ્વર્યા મજમુદાર
*
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
– ભગા ચારણ
નિસ્વાર્થ પ્રેમ
It is only Lataji, who can sing this Gujarati song in best way. Hats off to Lataji.
– Vimal Gadhvi
ખુબ આભાર
બહુ જ સુન્દર રચના ! ! આભાર.
બહુજ સરસ ભજન છે. . આવી રચના મુકવા બદલ ખુબ ખુબ આભાર
રિસામણા અને મનામણા યુગો યુગોથી ચાલતા આવ્યા છે. પણ અંત હંમેશા સુખદ આવે એવું હર કોઇ ચાહે છે……….
મીતિક્ષાબેન,
૧૯૫૦’ થી ૧૯૬૦’ માં ઑલ ઇંડિયા રેડિયો બોમ્બે પરથી બપોરે ૧૨.૫૦ મધુર ગીતો આવતા હતા. તેમાં સાંભળેલ બે ગીતોની શરૂઆતની પંક્તિ જણાવું છું. શક્ય હોય તો આખું ગીત આપશો તો આભારી થઈશ.
૧. સ્વર છે શાંતા આપ્ટૅ નો….શબ્દો છે..
પૂછે છે દીકરી,બાપુ કહોને વીરા કહોને
દીકરી શાને બિચારી રે….પૂછે છે દીકરી…
૨.ગીતા દત્તના સ્વરમાં…
પનિહારી ઓ પનિહારી ઓ,
ચાલો યમુનાજીને કાંઠડે મીઠડાં જળ ભરવા …..
ધન્ય છે “ભગા ચારણ” ને. ભજન ખુબ હૃદયસ્પર્શી છે. ધન્યવાદ મિતીક્ષા ને.
ખુબ જ સરસ ભજન. મન ખુશ થઇ ગયું. આભાર.
ભગા ચારણ વિશે જો કોઇ માહિતિ હોય તો આપી આભારી કરશો.
pradip sheth
bhavnagar
jan 20 09
ખુબ ખુબ આભાર.
જય શ્રીકૃષ્ણ
ખુબ જ સરસ વેબ સાઈટ છે. મનગમતા ગીતો સાભળવાની મજા આવી.
અદભુત ……. ખરેખર ખરી રીક્વેસ્ટ ” મારા વ્હાલા ને વઢી ને કે’જો ”
ખુબ ખુબ આભાર આવી રચના મુકવા બદલ.
જય શ્રી ક્રુષ્ણ
ગોપીના ભાવો ખૂબ સ્પર્શી ગયા. ખૂબ સરસ..
બહુજ સરસ ભજન છે. મને ખુબ પ્રિય છે. આભાર ! બિના
Dear Mitixa,
Very Touching
Your brother in law and you has touched my heart telling March Accident.
God has kept you to give great service to your family and the society.
Tulsidal welcomes you.
I am taking liberty to let others Blogers and Surfers know your love for Music and God by adding you blog information in TULSIDAL..
Editor
Tulsidal and Trivedi Parivar
[…] માને તો મનાવી લેજો રે October 4, 2008 Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 3:32 pm માને તો મનાવી લેજો રે […]
લવ ધીસ ભજન. આઈ નો, લતા મંગેશકર ઈઝ વેરી ગુડ સીંગર ..
Very Touching .. It took me back to All India Radio of sixties.
Marvelous voice as well.. Whose Voice & Music is that?
[સ્વર: લતા મંગેશકર – admin]