Press "Enter" to skip to content

કહું છું જવાનીને


ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. પ્રેમ માણસને કદી ઉંમરનો અહેસાસ થવા દેતો નથી. માણો આ સુંદર રચના બે સ્વરોમાં.
*
સ્વર – મોહમ્મદ રફી

*
સ્વર- સોલી કાપડિયા

*
કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે

મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશૂક કહી છે

ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઈ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો

ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

– અવિનાશ વ્યાસ

2 Comments

  1. pragnaju
    pragnaju November 7, 2008

    રગયિતા,સંગીતકાર અવિનાશ વ્યાસનું મહંમદ રફીના સ્વરમાં સૌને ગમતું અમર ગીત

  2. Jivan Gordhan
    Jivan Gordhan August 3, 2010

    ક્માલ !! Excellent progress in promoting our ‘sanskruti’ in the most modern technology and media. I just wish with all this effort and simple language learning process could be included.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: