Press "Enter" to skip to content

શું માગશે ?

મહાન વ્યક્તિઓ એટલી ઉંચાઈએ પહોંચી જાય કે પછી સામાન્ય માણસો એને સ્પર્શી શકે એવું રહેતું નથી.  ઈશ્વર અને ઈશ્વરીય અનુભવ કરી આધ્યાત્મિક બુલંદીએ પહોંચેલા વ્યક્તિઓ માટે પણ એ એટલું જ સાચું છે. નિજાનંદમાં મસ્ત હોવાથી જનસાધારણ સાથેનો એમનો સંપર્ક છૂટતો જાય છે. અહીં પ્રસ્તુત થયેલ ગમતો શેર … તું અમારો છે તો ધરતીના ખુદા, તું અમારા જેવો ક્યારે લાગશે ? સુંદર વાત કહી જાય છે.

તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે?

તું અમારો છે તો ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી, તું આટલી નિર્દય હશે?
તું મને શું એક પળમાં ત્યાગશે?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!

એણે માગી છે દુવા તારી ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે ?!!

– અદી મિરઝા

One Comment

  1. Keyur pandya
    Keyur pandya August 18, 2009

    I want song “મન મોર બની થનગાટ કરે” in any singer’s voice
    especially of Hemu Gadhvi/Iswardan Gadhvi/Praful Dave
    Thanks a lot.
    [મન મોર બની થનગાટ કરે is already posted. check index – admin]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.