Press "Enter" to skip to content

મીરાં તમે પાછા ઘેર જાઓ


“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ ઈશ્વરપરાયણ સંતપુરુષ હતા એથી એમને એવો વિચાર નહોતો સતાવતો પરંતુ મીરાંને એનું પરિણામ ભોગવવું ન પડે તે માટે તેમણે મીરાંને પાછા જવાની વિનતી કરી. એ ભાવોને અભિવ્યક્ત કરતું આ ખુબ સુંદર અને વારંવાર સાંભળવું ગમે તેવું ભજન આજે સાંભળીએ.
*

*
તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાં તમે પાછા ઘેર જાઓ.

હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર …. મીરાં તમે પાછા

મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ … મીરાં તમે પાછાં

મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન .. મીરાં તમે પાછાં

રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન … મીરાં તમે પાછાં

– સંત રોહિદાસ (સંત રૈદાસ)

8 Comments

  1. શ્રીહરિ
    શ્રીહરિ September 1, 2021

    ખુબ ખુબ ધન્યવાદ સંત રૈદાસના બીજા ભજન આપવા વિનંતી

  2. Ramesh Mohan
    Ramesh Mohan September 16, 2011

    મજા આવી.

  3. Daulatsinh Gadhvi
    Daulatsinh Gadhvi July 19, 2009

    મને આ ભજન ખુબ ગમ્યું. બીજા આવા ભજનની અપેક્ષા.

  4. darshan
    darshan April 25, 2009

    ખુબ સુન્દર પ્રસ્તુતિ…
    સંત રોહિદાસની વધુ સુન્દર કાવ્યરચના પ્રસ્તુત કરવા વિનંતી…

  5. આ ભજન મને ઘણા વર્ષોથી ગમે છે.
    ગુલઝારે મીરાં પિક્ચર બનાવ્યું હતું, તેમાં મીરાં ,રૈદાસને મળે છે તે પ્રસંગ અદભુત રીતે રજુ કરેલ છે.

    • Devesh Dave
      Devesh Dave July 18, 2020

      વાહ અદ્ભૂત ભજન ગાયકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.