મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધાર રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમાં ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન હોય, પ્રિયતમ પરમાત્માની સાથે ભળી જવાની તૈયારી અને ખુમારી હોય તો તેવું મરણ ધન્ય. સાંભળો સંત પુનીતનું આ પ્રસિદ્ધ ભજન ભાસ્કર શુકલના સ્વરમાં.
*
*
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.
અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.
જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.
કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.
આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.
– સંત ‘પુનીત’
કોઈ પણ શોકના પ્રસંગે બેસવા જઈએ તો આ ભજનથી શરુ કરીએ
મધુર ગાયકી
પુનિત મહારાજને યાદ કરાવી દીધા.
ત્રિવેદી પરિવાર.
maru priya geet ! Hu pan vadodarano bahenaa !
બહુ જ સુન્દર ….
પુનિત મહારાજના બીજા ભજનો મુક્વા વિનંતી.
જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આંખમાં પાણી આવી જાય છે. અદભુત .. ખુબસુરત …
આ ગીત મેં મારા મમ્મીના ભજનમાં સાભળ્યું હતું અને જ્યારે સાંભળું ત્યારે માની યાદ આવે.
અદભુત .. ખુબસુરત …
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.
………..
હંમેશા નિભાવી છે મેં દિલદારી,
પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !
તારી બાંહોમાં સમાયીને,
તારાથી આગળ થાવું છે!
હોઠો પર રટણ શ્રીજીનું ને,
શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
મારે નિંદ્રાધીન થાવું છે .
– પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’
ખૂબજ સુંદર આ ભજન છે. આ કોઈના શોકમાં જાય ત્યારે ગાવા માટે નું નથી પરંતુ હંમેશાં ગાવાનું ભજન છે, જે પ્રભુને રોજ વિનવણી કરે છે કે જો જો ભગવાન સમય ક્યારે શું આવશે તેની ખબર નથી, બસ, તારાથી દૂર કરતો નહિ અને મારા દરેક સમયને તું સાચવી લે જે.
મારી જીવાદોરી તને સોપું છું.
વાહ ….. મૃત્યુ નામની હોડી લઈ અમૃતમય સાગરમાં આનંદરૂપી ઈશ્વરને મળવા જવાની વાત છે.