Archive for the 'અન્ય સર્જકો' Category

પાગલ થાઉં તો સારું

Tuesday, March 17th, 2009

  હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું ! છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું ! જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે, હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું ! જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં, હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું ! મને [...]

વગડાનો શ્વાસ

Monday, March 16th, 2009

આજે એક મજાનું પ્રકૃતિગીત. કહેવાય છે કે માણસ જ્યારે પ્રકૃતિના ખોળે હોય છે ત્યારે સૌથી સુખી હોય છે. જેમણે એક દિવસ પણ પ્રકૃતિના ખોળે ગુજાર્યો હશે તેને આ ગીતની રમ્ય કલ્પનાના રંગોમાં રંગાવાનું મન થઈ આવશે. પહાડોના હાડ, નાડીમાં નદીઓનાં નીર, છાતીમાં બુલબુલનો માળો એક અદભૂત સર્જનશીલતા અને પ્રકૃતિની સંવેદનશીલતાનો પરિચય આપે છે. કવિ શ્રી [...]

હોવા ન હોવાથી

Friday, March 13th, 2009

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી, ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી. હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ, ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી. રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે, મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી. કદી તેં હાક મારી’તી, ઘણાં વર્ષો થયાં તો પણ, હજી [...]

શંકા ન કર

Tuesday, March 3rd, 2009

સૂર્યના ઢળવા વિષે શંકા ન કર દીપ ઝળહળવા વિષે શંકા ન કર આ કથાનો અંત બાકી છે હજી આપણા મળવા વિષે શંકા ન કર એક પથ્થર આપણે ફેંક્યા પછી નીર ખળભળવા વિષે શંકા ન કર છે તિખારો એક ઊંડે ક્યાંક પણ હીમ ઓગળવા વિષે શંકા ન કર એ અનાદિકાળથી ગુંજે ભીતર નાદ સાંભળવા વિષે શંકા [...]

જીવનની શરૂઆત હતી

Friday, February 27th, 2009

ભતૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે ભોગોને ભોગવતાં ભોગવતાં અમે જ ભોગવાઈ ગયા. અર્થાત્ જીવનની પરિસમાપ્તિ થવા આવી પણ ભોગથી તૃપ્તિ ન થઈ. જીવનમાં માણસની સાથે પણ આવું જ કંઈ બને છે. નાનપણમાં ઢીંગલા-ઢીંગલી રમતા હોય છે. એ બાળપણની પહેલી પ્રીત હોય છે. ઢીંગલી છૂટી જાય પછી યુવાનીમાં પ્રેયસી સાથે પ્રીત મંડાય છે. એ પણ [...]