આજકાલ દુંદાળા દેવ ગણેશ ઘરે ઘરે પધાર્યા છે. આદિ કાળથી ગણપતિની પૂજા કોઈપણ શુભ કાર્યના આરંભે થતી આવી છે. પણ આજે જે ગણેશોત્સવ ઉજવાય છે તેનો શ્રેય લોકમાન્ય તિલકને ફાળે જાય છે. જનજાગૃતિ અને લોકોની એકતાના ભાગરૂપે પૂનાથી શરૂ થયેલ ગણેશોત્સવ આજે લગભગ ભારતભરમાં અને વિદેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. દર્શન અને સંનિધિનું સુખ આપવા ભગવાન સામે ચાલી ભક્તને ઘરે પધારતા હોય તેવું માત્ર ગણેશજી માટે જ કહી શકાય. હજી આજે પણ સુરત અને વડોદરામાં વરસો સુધી માણેલ વિવિધ સ્વરૂપો અને આસપાસના ડેકોરેશન વાળા ગણેશજી યાદ આવે છે અને મસ્તક ભક્તિભાવથી ઝૂકી જાય છે. તાપીના કિનારે ડક્કાના ઓવારે ગણેશ વિસર્જન જોવાની મઝા કૈં ઓર હતી … સાંભળો મને અતિ પ્રિય એક સ્તુતિ. શબ્દો ગીત સાંભળીને લખ્યા હોવાથી ભૂલ હોવાનો સંભવ છે. એ માટે પ્રથમથી જ ક્ષમાયાચના.
*
ઉમાશંકર જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, માધવ રામાનુજ, રમણભાઈ પટેલ અને તુષાર શુકલ રચિત ગીતો પર સ્વરાંકન થયેલ હસ્તાક્ષર આલ્બમનું આ ટાઈટલ ગીત છે. જગજતસીંઘનો ઘેરો અને ઘૂંટાયેલો અવાજ આ અર્થસભર રચનાને નવો મિજાજ આપે છે, એને ફરી ફરી સાંભળવાનું મન થાય એવી બનાવે છે. લેખન અને ગાયન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતાં એક આરાધના બની શકે … કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર; સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર. અદભૂત.
*
[સ્વર: જગજીતસીંઘ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી]
*
અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.
પ્રતિ વર્ષ શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી જૈન સમુદાય પર્યુષણ પર્વ મનાવે છે. પર્યુષણ પર્વ એટલે પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ, વેરના વિરામનું પર્વ, સમત્વની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પર્વ અને તપ-દાન તથા અધ્યાત્મ સાધના વડે અંતરની અશુદ્ધિઓને દૂર કરવાનું પર્વ. પર્વની સમાપ્તિ પર જૈન ભાઈઓ એકબીજાને મિચ્છામી દુક્કડમ અર્થાત્ મારા વડે કાયા, મન અને વાણીથી જો કોઈ પ્રકારની ભૂલ થઈ હોય તો તે માટે મને ક્ષમા કરો – એવી ભાવના કરી ક્ષમાયાચના કરે છે.
*
સ્વર: અનુરાધા પૌંડવાલ
*
સ્વર: મનહર ઉધાસ
*
જૈનધર્મમાં ભક્તામર સ્તોત્ર એક શાસ્ત્ર જેટલો જ આદર ધરાવે છે. તેની રચના મુનિ માનતુંગાચાર્યજીએ કરી હતી. ભક્તામર સ્તોત્રની રચના વિશે વિવિધ મતો પ્રવર્તે છે. એક માન્યતા મુજબ રાજા ભોજના દરબારમાં જૈન વિદ્વાન કવિ ધનંજયે પોતાની વિદ્વતાથી રાજાને પ્રભાવિત કર્યા. કવિ કાલીદાસથી એ સહન ન થયું. એથી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા કાલીદાસે રાજાને બંને વચ્ચે વાદવિવાદ કરાવવા કહ્યું. જેમાં કવિ કાલીદાસની હાર થઈ. પરંતુ હાર સ્વીકારવાને બદલે એમણે કહ્યું કે હું ધનંજયના ગુરુ માનતુંગમુનિ સાથે વાદવિવાદ દ્વારા મારી વિદ્વત્તા સિદ્ધ કરીશ.
એથી રાજાએ માનતુંગમુનિને શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ મોકલ્યું. રાજાએ વારંવાર કહેણ મોકલ્યા છતાં માનતુંગમુનિ રાજદરબારમાં હાજર ન થયા ત્યારે રાજઆજ્ઞાનો અનાદર કરવા બદલ એમને બંદી બનાવી કારાગારમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં ભગવાન આદિનાથનું ચિંતન કરીને મુનિએ સ્તુતિ કરી. એના પરિણામે એમના બેડીના તાળાં તૂટી ગયા અને તેઓ મુક્તિ પામ્યા. આ પ્રસંગને પરિણામે ચોતરફ જૈન ધર્મનો જયજયકાર થઈ રહ્યો. બંધનાવસ્થામાં તેમણે કરેલી સ્તુતિ ભક્તામર શબ્દથી શરૂ થતી હોઈ એ ભક્તામર સ્તોત્રના નામે પ્રસિદ્ધ થઈ.
જે સ્તુતિના પ્રભાવે મુનિ માનતુંગની બેડીના તાળાં તૂટ્યાં તે ભક્તામર સ્તોત્ર સાંભળો મનહર ઉધાસ અને અનુરાધા પૌંડવાલના સ્વરમાં.
[દત્તાત્રેયે ચોવીસ ગુરુ કરેલા તેની વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા જુદી જુદી જગ્યાએથી, જુદાજુદા પદાર્થોનું નિરીક્ષણ કરતાં સાંપડે છે. અહીં સુરેશભાઈએ એમની આગવી રીતે જીવન જીવવાની એમની શૈલીનું સરળ ભાષામાં નિરુપણ કરી બતાવ્યું છે. માણો મસ્તી અને ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ ધરતું એમનું ગદ્યકાવ્ય.]
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
આજે જ્યારે પનઘટ, બેડલા, પાણી ભરવા જતી પનિહારીઓ અને ગ્રામ્ય પરિવેશ અદૃશ્ય થવાની તૈયારીમાં છે ત્યારે અવિનાશભાઈની આ સુંદર રચના આપણને નૈસર્ગિક તાજગીથી છલકાતા ગ્રામ્ય ભાતીગળમાં તાણી જાય છે. માણો સુમધુર સંગીતથી મઢેલ આ સુંદર ગીતને.
આલ્બમ : અમર સદા અવિનાશ