આજે એક ખુબ જ સુંદર પ્રાર્થનાગીત જે સૌએ અવશ્ય ક્યાંક તો સાંભળ્યું જ હશે ને ગાયું પણ હશે. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તો આ પ્રાર્થનાગીત અચૂક ગાવામાં આવે. નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના આજે માણીએ.
*
[આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]
*
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !
– નરસિંહરાવ દિવેટીયા
[ફરમાઈશ કરનાર – હર્ષા જૂઠાની]
19 Comments