Press "Enter" to skip to content

યમુના કિનારો સુમસામ


રાધા અને કૃષ્ણના પ્રેમને દર્શાવતા કેટલાય પદો રચાયા છે અને હજુ રચાશે. પ્રેમની પરાકાષ્ઠા અને વિરહની વેદના દર્શાવતું આ પદ માણો હેમા દેસાઈના કોકિલ કંઠે.
*

*
યમુના કિનારો સુમસામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો

એક દિવસ એવો યાદ કરો શ્યામ
જ્યારે રાધાએ મુખ ના બતાવ્યું
વાટમહીં આવે તે પડતું આખડતું ને
દોડી દોડી હૈયું હંફાવ્યું,

પડતાં મુકીને સહુ કામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો

સાંજ પડે ગાયોની ખરીઓના તાલ સાથે
મોરલીના સુર નથી વાગતા,
ખરડાયા ધુળ થકી બીજા ગોવાળ છતાં
માધવ જેવા એ નથી લાગતા,

યાદ કરો ગોકળીયું ગામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો

ફુલની, કંદબની, જળની, જમનાની કે
મુરલીના વાત નહીં જોઈએ
મારે મન એક રહી માધવ મોલાત બીજી
કોઈ મિરાત નહીં જોઈએ,

એક વાર રાખો મુકામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો

2 Comments

  1. Pragnaju Vyas
    Pragnaju Vyas August 19, 2008

    હેમાના સ્વરમાં ભાવવાહી મધુર ગાયકી

  2. Ansuya Patel
    Ansuya Patel August 22, 2008

    Excellent Music. We are really pleased to listen to our cultural music thousands mile away from India.

Leave a Reply to Ansuya Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.