Archive for May, 2009

કન્યાવિદાય પછીનો ખાલીપો

Friday, May 15th, 2009

લગ્ન સામાન્ય રીતે આનંદનો પ્રસંગ છે પરંતુ કન્યાવિદાય ભલભલાની આંખો ભીની કરી નાંખે છે. વરસો સુધી જે ઘરમાં મમતાના સંબંધે ગૂંથાયા હોય તે ઘરને પિયુના પ્રેમને ખાતર જતું કરવાની વિવશતા કન્યાના હૃદયને ભીંજવી નાંખે છે. આ કૃતિમાં કન્યાની વિદાય પછી સૂના પડેલ ઘરનું અદભૂત ચિત્રણ થયેલું છે. જેવી રીતે પંખી ઉડી ગયા પછી માળો સૂનો [...]

જનનીની જોડ સખી નહીં જડે

Sunday, May 10th, 2009

મા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે, ગ્રંથો લખીએ તો પણ ઓછાં પડે. ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ, પ્રેમની જીવંત મૂર્તિ … આજે અમેરિકામાં મધર્સ ડે છે. વિશ્વભરની માતાઓના પ્રદાનને અને એમના વાત્સલ્યને વિશેષ રૂપે યાદ કરવાનો દિવસ. લોકો ચર્ચા કરે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાં આવી ભારતીયોએ મધર્સ ડે ન ઉજવવો જોઈએ. પણ ગુરુને પૂજ્ય માનનાર [...]

થઈ જાય તો સારું

Friday, May 8th, 2009

ભગવાન શંકરની જટામાંથી જાહ્નવી ગંગાનું પૃથ્વી પર અવતરણ માનવજાતિના મંગલનું કારણ બન્યું. જો એવી રીતે નીચે પડવું કોઈને માટે કલ્યાણકારણ થતું હોય તો એવું પતન પણ મુબારક હો. વળી પ્રેમીનું પોતાને ઘર જવા નીકળવું – વિયોગની એ ઘટનાથી ઉદાસ થયેલ કવિ કહે છે કે એને રસ્તામાં કોઈ અપશુકન થાય અને એ રીતે પણ એ ઘરે [...]

ઓ હૃદય !

Wednesday, May 6th, 2009

પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા. તો અંતિમ પંક્તિમાં મૃત્યુ પછીનું દેખાવા માટે કરાતું રુદન કવિને કઠે છે. કારણ જે [...]

મા ને ટેકો

Monday, May 4th, 2009

આજકાલ ઘરડાંઘરો વધી રહ્યા છે, વૃદ્ધાશ્રમોની જાહેરાતો અખબારો તથા ટીવીમાં જોવા મળે છે. આ સ્થિતિ શરમજનક હોવા છતાં વાસ્તવિકતા હોવાથી આંખમિંચામણા કરી શકાય એમ નથી. જે માતાએ પોતે ભીનામાં સૂઈને પોતાના પેટના જણ્યાને સૂકામાં સુવડાવ્યા હોય છે તે પોતાના પાછલા દિવસોમાં ખાસ કરીને પતિની વિદાય પછી પુત્ર પાસે સહારાની અપેક્ષા રાખે છે. સંજોગોની થપાટે કે [...]