Press "Enter" to skip to content

Day: January 20, 2009

એકબીજાના હતા


પ્રણયના મધુરા દિવસોની સ્મૃતિ કરાવતી અદી મિર્ઝાની રચના.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવાઝ

*
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદોમાં જીવ ક્યાંથી લાગતે,
રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.

કેટલું સમજાવશે એ લોકને તું પણ “અદી”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા.

– અદી મિર્ઝા

3 Comments