પ્રણયના મધુરા દિવસોની સ્મૃતિ કરાવતી અદી મિર્ઝાની રચના.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવાઝ
*
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા.
મંદીરો ને મસ્જીદોમાં જીવ ક્યાંથી લાગતે,
રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા.
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
કેટલું સમજાવશે એ લોકને તું પણ “અદી”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા.
– અદી મિર્ઝા
ખુબ જ સુન્દર લખ્યુ……….આલાપ પણ ખુબ જ સરસ …….
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
વાહ્
કેટલું સમજાવશે એ લોકને તું પણ “અદી”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા….
સરસ વાત કરી છે!