Press "Enter" to skip to content

Day: January 18, 2009

આપણા બેના મનમાં


પ્રેમની વાત અનોખી છે. પ્રેમ કોઈ ઉંમરનો, નાત-જાત કે કોઈ ધર્મનો મોહતાજ નથી હોતો. નથી એને મૌસમ સાથે કોઈ લેવા દેવા. કારણ પ્રેમ પોતે જ એક મૌસમ થઈને આવે છે. પ્રેમમાં પડેલાઓને એ ફિકર નથી હોતી કે લોકો શું કહેશે. પ્રેમની દિવાનગી અને ગહેરાઈ દર્શાવતી આ સુંદર ગઝલ આજે સાંભળીએ.
*
[સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: અભિષેક]

*
આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતા’તા,
કેવા નીચા લોક હતા જે ઊંચી વાતો કરતા’તા.

યાદ કરો ઓ ભુલી જનારા આપણો એ ભુતકાળ જરા,
આપણે બે ઈન્સાન હતા પણ શ્વાસ તો એક જ ભરતા’તા.

મોત આવ્યું તો યાદ આવી ગઈ ઘેલછા આપણા યૌવનની,
આપણે બંને મરી જવાનું નાટક કેવું કરતા’તા.

આપણે પણ મશહુર હતા એ હીર અને રાંઝા જેવા,
લોક તને રસ્તામાં જોઈ યાદ મને પણ કરતા’તા.

આપણે ક્યાં શીખ્યા’તા ઝાઝુ ગામની કોઈ શાળામાં,
તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતા’તા.

આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના,
આપણે તો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતા’તા.

– ?

2 Comments