Press "Enter" to skip to content

ચમન તુજને સુમન


કૈલાશ પંડિતની અતિ લોકપ્રિય રચના. સાંભળો મનહર ઉધાસના મખમલી કંઠે.
*

*
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

– કૈલાશ પંડિત

4 Comments

  1. Jagdish Vadukiya
    Jagdish Vadukiya December 8, 2010

    કૈલાશજી જેવા શાયરની આ અદભુત રચના બધાને માર્ગદર્શક બની રહેશે.

  2. Kanchankumari Parmar
    Kanchankumari Parmar July 30, 2009

    ફુલ તો તમેજ રોપ્યું હતું તે કેમ ભુલી ગયા તમે; હવે બની બાગ મહેંકે છે ત્યારે નાખી નિઃશાસા ઉજાડો શાને ?

  3. Ashwin-Sonal
    Ashwin-Sonal October 2, 2008

    અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
    ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

    ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
    હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

    મનહરના સ્વરમાં માણવાની મજા આવે તેવી છે. બહુ દર્દ છે… વરસો સુધી કાનમા જાણે ગુંજ્યા કરશે. વાહ મજા આવી ગઇ.

  4. Pragnaju
    Pragnaju September 28, 2008

    મનહરના સ્વરમા મધુરી ગાયકી
    મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
    કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
    તેના મરણ વખતે આ પંક્તીઓ મનમા ગુંજતી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.