આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે માણીએ.
*
સ્વર – અચલ મહેતા
આજે નવરાત્રિ પર્વનું સમાપન છે. નવ રાત્રિઓમાં મા જગદંબાની આરાધના કર્યા પછી જેમ દરેક દિવસે ગરબાની સમાપ્તિ પર આરતી થાય તેમ આપણે પણ મા જગદંબાની આરતી કરીએ. દેશમાં રહેતા હોય કે વિદેશમાં, પણ દરેક ગુજરાતી ઘરમાં અચૂક ગવાતી આ આરતી સાંભળો.
*
સ્વર – મહેન્દ્ર કપૂર
ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો.
*
સ્વર: અચલ મહેતા
રુઠેલી રાધાને મનાવવા શ્રીકૃષ્ણ એની સાથે રાસ રમે છે તે અન્ય ગોપીઓને નથી ગમતું. સ્ત્રીસહજ ઈર્ષાથી પીડાતી ગોપી કૃષ્ણને ફરિયાદ કરે છે, જેમ ફાવે તેમ સંભળાવે છે. ત્યાં સુધી કે એને હરાયો ઢોર કહે છે. ગોપીના મનોભાવોને વાચા આપતું આ પદ સાંભળો અચલ મહેતાના સ્વરમાં.
*