મનહર ઉધાસના કંઠે શોભતી કૈલાશ પંડીતની એક સુંદર રચના. ખુબ સરળ સાદા શબ્દો પણ વારંવાર વાગોળવાનું મન થાય એવી કૃતિ. ખાસ કરીને છેલ્લી બે પંક્તિઓમાં એકલતાના દિવસો અને મૃત્યુની વાસ્તવિકતા ચોટ વાગે એવી રીતે રજૂ થઈ છે.
*
સ્વર – મનહર ઉધાસ
*
સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.
હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના
દૂરતા છે એટલી તારી હવે
આવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના
જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના
– કૈલાશ પંડીત
5 Comments