ચાંદની રાતે થતે પરભાત તો શું શું થતે,
આંગણે અવસર હતે રળિયાત તો શું શું થતે.
બંધ આંખોમાં હતો જે સ્વપ્નનો મેળાવડો,
એ હકીકતમાં યદિ પલટાત તો શું શું થતે.
જે ગયા મઝધારમાં પાછા કદી આવે નહીં,
એ કિનારાને હતે જો જ્ઞાત તો શું શું થતે.
આયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં,
એમને જો મોત આપત માત તો શું શું થતે.
જેમની આદત સુંવાળી શેષશૈયા પર શયન,
એ ધરા પર ઠોકરો જો ખાત તો શું શું થતે.
શ્વાસનું આવાગમન ‘ચાતક’ પળોની વાત છે,
જિંદગી પળમાં જ વીતી જાત તો શું શું થતે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
14 Comments