ભોયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ
આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી
ચરણો તો કોક વાર થાકે રોકાય કોઇ રોકી શકાય નહીં છાતી
અણજાણી વાર ક્યાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ
રોમ રોમ જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ …
મેં જ મને કોઇ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતભરી આંધીનું ટોળું
વાદળ વસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહું ગાવ
મારામાં રોમરોમ જાગતી થઇ છે કે એક વણજારે ગાળેલી વાવ
એમ કહેવાયું છે કે માતા સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. બાળપણમાં મા જે હાલરડાં સંભળાવે છે તેનાથી બાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં મોટો ફેર પડે છે. પોતાની શૂરવીરતાથી મરાઠા સામ્રાજ્યને એકસૂત્રે બાંધનાર શિવાજીના શૂરવીર વ્યક્તિત્વમાં માતા જીજાબાઈએ સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાંનો પણ ફાળો છે. બે દિવસ અગાઉ આપણે કૈલાસ પંડિતે લખેલ રચના માણી હતી. આજે માણો ઝવેરચંદ મેઘાણી રચિત આ સુંદર રચના હેમુ ગઢવીના સ્વરમાં.
*
દુનિયામાં સૌથી વિશુદ્ધ પ્રેમ મા અને બાળકનો ગણાયો છે. પોતાના વ્હાલસોયા બાળકને સુવાડવા માટે મા જે હાલરડાં ગાય છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. આજે માણો કૈલાશ પંડિતની એક અણમોલ રચના જેને મનહર ઉધાસનો કંઠ સાંપડ્યો છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે … દીકરો મારો
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે … દીકરો મારો
પરપોટાશી કોઇ પીડા જે સાવ અચાનક ખાલીપાનાં દરિયે જ્યારે તરતી તરતી ફૂટે
લાગણીઓના કોઇ હલેસાં કામ ન આવે પીળચટ્ટી એક નગરી આખી સરતી સરતી ડૂબે
પ્રસંગોનાં ઝાંખા પાંખા કોક કિનારે વાતમાં વચ્ચે નામ જો આવે, શ્વાસમાં ભરતા રહેજો
જ્યારે ભગવાન કૃષ્ણ માટેની મીરાંબાઈની દિવાનગી રાજમહેલની બધી હદોને પાર કરી ગઈ ત્યારે રાણાએ પોતાની આબરુને બચાવવા માટે મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો. એને એમ હતું કે હવે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે, તકલીફોનો સુખદ અંત આવી જશે. પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે ? મીરાંબાઈને મારવા માટે મોકલાવેલ ઝેરને પ્રભુએ અમૃતમાં પલટાવી દીધું. એ સ્વાનુભવની કહાણી મીરાંબાઈએ ભજનમાં કરી. માણો એ સુંદર ભજન રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*
*
નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.
કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.