Press "Enter" to skip to content

પૂછી શકતો નથી

હું હવે ખુદને મળી શકતો નથી,
કેમ, એવું પણ પૂછી શકતો નથી.

જાતથી રુસ્વા થયેલો આદમી,
કોઈ ટોળામાં ભળી શકતો નથી.

ચાહવાના કારણો મળશે ઘણાં,
ધારણા વિશે કહી શકતો નથી.

છે હૃદય એવી ઘણી સંવેદના,
શબ્દ જેને ચીતરી શકતો નથી.

આંખ આંસુઓનું કબ્રસ્તાન છે,
મોકળા મનથી રડી શકતો નથી.

પત્થરોના દેવને પૂજ્યા પછી,
માનવીને હું નમી શકતો નથી.

લોક કહે છે કે મજાનો આદમી,
પણ જમાનાને ગમી શકતો નથી.

નામ ‘ચાતક’ એટલે રાખી લીધું,
હું નિરાશાને ખમી શકતો નથી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

  1. Bharat Vinzuda
    Bharat Vinzuda February 21, 2012

    હું હવે ખુદને મળી શકતો નથી,
    કેમ, એવું પણ પૂછી શકતો નથી
    વાહ…

  2. Narendra Jagtap
    Narendra Jagtap February 3, 2012

    ચાહવાના કારણો મળશે ઘણાં,
    ધારણા વિશે કહી શકતો નથી.

    છે હૃદય એવી ઘણી સંવેદના,
    શબ્દ જેને ચીતરી શકતો નથી….. ખુબ જ સરસ ગઝલ … આમ તો દરેક શેર માણવા લાયક છે…

  3. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' February 2, 2012

    જાતથી રુસ્વા થયેલો આદમી
    કોઇ ટોળામાં ભળી શકતો નથી..
    કડવુ પણ તદ્દન સાચું..
    આખી ગઝલ માણવાલાયક થઈ છે, મક્તાનો સુધારો પણ ગમ્યો.

  4. Kishore Modi
    Kishore Modi February 1, 2012

    જાતથી રુસ્વા થયેલો આદમી
    કોઇ ટોળામાં ભળી શકતો નથી
    સુંદર મનોમંથનની ગઝલ

  5. Sapana
    Sapana February 1, 2012

    હ્રદયસ્પર્શી ગઝલ..

    છે હૃદય એવી ઘણી સંવેદના,
    શબ્દ જેને ચીતરી શકતો નથી. વાહ..
    સપના

  6. Daxesh Contractor
    Daxesh Contractor January 31, 2012

    નામ ‘ચાતક’ રાખતાં રાખી લીધું,
    ઝાંઝવાઓને છળી શકતો નથી.
    ગઝલ પોસ્ટ કરી ત્યારે મક્તાનો શેર આ પ્રમાણે હતો પણ બરાબર ન લાગતા એ બદલીને હાલમાં છે એ મુજબ કર્યો છે. પ્રતિભાવ આપનાર મિત્રો એ માટે ક્ષમા કરે …આશા છે એમને પણ આ બદલાવ પસંદ આવશે.

  7. Himanshu Patel
    Himanshu Patel January 31, 2012

    લોક કહે છે કે મજાનો આદમી,
    પણ જમાનાને ગમી શકતો નથી……સરસ કાવ્યાત્મક સ્વગ્તોક્તિ અને તે પણ સ્વક મીજાજે ઘડાયેલીઃ–માનવીને હું નમી શકતો નથી

  8. P Shah
    P Shah January 31, 2012

    ….મજાનો આદમી,
    પણ જમાનાને ગમી શકતો નથી.

    મઝાના આદમી જમાનાને ગમતા નથી, કદાચ ઈર્ષ્યાને કારણે ! ?

    સુંદર રચના !

  9. Karasan Bhakta USA
    Karasan Bhakta USA January 30, 2012

    સુન્દર,અતિ સુન્દર !!!!
    પત્થરોના દેવને પૂજ્યા પછી,
    માનવીને હુ નમી શકતો નથી.
    લોક કહે છે કે મઝાનો આદમી,
    પણ જમાનાને ગમી શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.