Press "Enter" to skip to content

દસકંધરો મરતાં નથી

જુલ્મ જારી છે હજી, દસકંધરો* મરતાં નથી,
લાજ લૂંટી જેમણે સીતાતણી, ડરતાં નથી.

એ સમયની છે બલિહારી કે લેતાં રામનું
નામ, જે પત્થર તર્યા’તાં, આજ એ તરતાં નથી.

સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.

ભ્રષ્ટ નેતાથી થઈ જનતા બિચારી ત્રાહિમામ્,
ચૂસતાં ધન જેમનાં ખિસ્સા કદી ભરતાં નથી.

રામરાજ્ય અહીં મળે કેવળ ચુનાવી લ્હાણમાં,
દીનદુઃખીયાનાં કલેજાં જે થકી ઠરતાં નથી.

એ જ તો કારણ નથી ‘ચાતક’ કે મંદિરની ધજા
ફરફરે, ક્યાંયે તિરંગા આજ ફરફરતાં નથી ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(રચના – દશેરો, ૫ ઓક્ટોબર, ૨૦૧૧)

*દસકંધર- દશાનન, લંકેશ,રાવણ

8 Comments

  1. Narendra Jagtap
    Narendra Jagtap October 18, 2011

    બહુ સરસ ગઝલ….સરસ પ્રસઁગ વર્ણવ્યો…..વાહ વાહ

  2. Kirtikant Purohit
    Kirtikant Purohit October 11, 2011

    એ જ તો કારણ નથી ‘ચાતક’ કે મંદિરની ધજા
    ફરફરે, ક્યાંયે તિરંગા આજ ફરફરતાં નથી ?

    સરસ કટાક્ષનો દરેક શેરમા ઉપયોગ અને તે પણ રામરાજ્યનો સન્દર્ભ લૈ ને ! વાહ્..
    હુઁ માનુઁ છુઁ કે કાફિયામાઁ અનુસ્વાર ન વાપર્યો હોત તો ચાલતે.

  3. Manhar Mody
    Manhar Mody October 11, 2011

    સામ્પ્રત સમયને અનુલક્ષી બહુ સરસ કટાક્ષ કર્યા છે.

  4. Himanshu Patel
    Himanshu Patel October 11, 2011

    સમયોચિત ગઝલ અને તેમાની વક્રોક્તિ નજરે ચઢી…
    સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
    છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.

  5. Manvant Patel
    Manvant Patel October 10, 2011

    એ દુર્ગના કાઁગરા ખરવાની કોઇ જ આશા નથી.

  6. Kishore Modi
    Kishore Modi October 10, 2011

    સમય અને પ્રસંગને અનુરૂપ સુંદર ગઝલ.

  7. Pragnaju
    Pragnaju October 10, 2011

    એ સમયની છે બલિહારી કે લેતાં રામનું
    નામ, જે પત્થર તર્યા’તાં, આજ એ તરતાં નથી.

    સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
    છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.
    સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.