દુષ્કાળપિડીત માનવીઓની વ્યથા આલેખતી ગઝલ….
એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
જળ નહીં તો આંસુઓ પીવાય છે.
રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
ને હરણ થઈ જીંદગી જીવાય છે.
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.
તું લખે છે હસ્તરેખામાં ગઝલ,
ને અમારી પાંપણો ભીંજાય છે.
આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે,
જે નિરાશાઓ વડે ચીરાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે,
જે નિરાશાઓ વડે ચીરાય છે.
કદાચ આવી સુન્દર રચનાઓ કરાવવાની હશે એટલે જ ઉપરવાળો નિરાશાઓ મોકલતો હશે ને????
સરસ છે.
મનની વ્યથા સરસ શબ્દોમાં રજૂ થઇ છે !
બહોત ખુબ…વાહ વાહ ફાઇન ગઝલ…બધા જ શેર સરસ થયા છે
તમારી ગઝલ સંવેદનાથી ભરપુર મઝા કરાવી ગઈ. અભિનંદન!
“સાજ” મેવાડા
સુન્દર…………………….
એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
જળ નહીં તો આંસુઓ પીવાય છે.
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.
આ શેરથી આખી ગઝલ ઉઠાવ પામી છે. બહુજ સરસ રચના.
સરસ ગઝલ થઈ છે.
નખશિખ સુંદર રચના !
અભિનંદન !
વાહ સરસ ગઝલ ….
આંસુઓ ના જળથી ઠાર હવે; ચિતા નો અગ્નિ હજુએ લાલ છે…..
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે..
લાજવાબ શેર.
સરસ ગઝલ
એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
જળ નહીં તો આંસુઓ પીવાય છે.
રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
ને હરણ થઈ જીંદગી જીવાય છે.
આંસુઓ દિલની ભીનાશની અભિવ્યકિત છે
લાજવાબ કલમ ચાલે છે ચાતકની.
હવે તો એને પુસ્તક સ્વરુપે બહાર આવવુ જ જોઈએ.
તમારા દરેક વિચારો વીંધાય છે.
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે……સરસ શેઅર ……અભિનન્દન…
રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
ને હરણ થઈ જીંદગી જીવાય છે.
આખી ગઝલના શેર સરસ છે આ પંકતિઓ વિષેશ ગમી.
સપના
પ્યાસની અનુભૂતિ કરાવતી સુંદર ગઝલ!
સુધીર પટેલ.
અભિનંદન મિત્ર!
સરસ ગઝલ થઈ છે.
સરસ ગઝલ. છંદ, બંધારણ અને રજૂઆત – બધા માટે અભિનંદન.
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.
વ્યથાનું આલેખન સરળ અને લાગણીઓના ઉભરા વગર થયું છે તેથી વાંચવાનું ગમ્યું.
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.