(તસવીર સૌજન્ય – સ્વર્ગારોહણ)
સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર શ્રી યોગેશ્વરજી (૧૫ ઓગષ્ટ, ૧૯૨૧ – ૧૮ માર્ચ, ૧૯૮૪)ને એમના જન્મદિને અર્પણ ….
હતા કેવા પરમ યોગી તમે, એ યાદ આવે છે,
કરી અંધારમાં જ્યોતિ તમે, એ યાદ આવે છે.
જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.
સકળ વિઘ્નો વટાવીને થયાં સંસિદ્ધિથી ભૂષિત,
બતાવી ધ્યેય પર પ્રીતિ તમે, એ યાદ આવે છે.
મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.
નયન ‘ચાતક’ બની ઝંખી રહ્યા છે આપનાં દર્શન,
લૂછો છો આંખ સહુ રોતી તમે, એ યાદ આવે છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
એ યાદ આવે છે – પ્રભુ માટે કવિતા લખી છે તે ખુબ સરસ લાગી. હવે જ્યારે નવી કવિતા લખો ત્યારે જરૂરથી જણાવજો. તમારી રચેલ આ વેબસાઈટ હવે નિયમિત જોઈશું.
– અજય, નેહા અને મિહિર
ખુબ ભાગ્ય પછી માનવજીવનમાં મહાપુરુષનું સાંનિધ્ય મળતું હોય છે. અને જેમને મળ્યા તેમનું જીવન હંમેશ બદલતુ હોય છે ઉન્નત થતુ હોય છે જુદુ જ હોય છે. યોગેશ્વરજી જેવા કદી હતા ન થઈ શકે, જ્યોતિ બની ઝળહળતાં જ રહે છે, પ્રેરણા દેતા જ રહે છે શાશ્વત. મહાપુરુષ તે ચરણારવિન્દ.
જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.
મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.
સાચા સન્તોના વરદ હસ્ત અને વચનાશિષ મેળવીને સૌ ધન્ય થઈ ગયા!!
પ્રણામ.
એક અવલોકનઃ અવતારી પુરુષોના જન્મ-મૃત્યુ જુલાઈ-ઓગસ્ટ અને ફેબ્રુઆરી-માર્ચ હોય છે.
દક્ષેશ ભાઈ
ખરેખર સરસ લખ્યુ છે.
મારા અનેકાનેક પ્રણામ !
પરમ ગુરુના પરમ શિષ્યની ભાવાંજલીમાં ભીંજાવવાનો અનેરો આનંદ આવ્યો. પ્રભુ આપને અધ્યાત્મની અને સાહિત્યની સેવા માટે ભાવ અને શક્તિ પ્રદાન કરે એજ અભ્યર્થના.