મિત્રો આજે પંદરમી ઓગષ્ટ, ભારતમાતાનો સ્વતંત્રતા દિન. આઝાદીના બાસઠ વર્ષ આજે પૂરા થાય છે. અત્યારે દેશના અડધાથી વધુ નાગરિકો 1947 પછી જન્મેલા છે. એથી આઝાદીનું મહત્વ, એની કિમ્મત એમની કદાચ એટલી નથી જેટલી એનાથી પહેલાં જન્મેલી પેઢી હોય. સ્વતંત્ર હવામાં શ્વાસ લેવાનું ગૌરવ લેનાર દરેક ભારતવાસીનું મન આજે તિરંગા સામે ઝૂકશે – આપોઆપ ઝુકવું જોઈએ. ચાલો આપણે સૌ સાથે મળી આઝાદી માટે જેમણે પોતાના જાનનું બલિદાન આપ્યું એવા નામી-અનામી દરેક શહીદોનું ઋણસ્વીકાર કરીએ અને આપણા રાષ્ટ્રધ્વજને સદાય ઉન્નત રાખવાના પ્રયત્નો કરીએ.
*
આલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક-સૂરમંદિર
*
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.
સદા શક્તિ સરસાનેવાલા, પ્રેમસુધા બરસાનેવાલા,
વિરોં કો હર્ષાનેવાલા, માતૃભૂમિ કા તનમન સારા
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
શાન ન ઈસકી જાને પાયે, ચાહે જાન ભલે હી જાયે
વિશ્વ વિજય કરકે દિખલાયે, તબ હોવે જગ પૂર્ણ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
આવો પ્યારોં, આવો વીરો, દેશધર્મ પર બલિ બલિ જાઓ,
એક સાથ સબ મિલકર ગાઓ, પ્યારા ભારત દેશ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
ભારતમાતા કી જય.
સુંદર .. ગમી જાય એવું.
આ દેશભક્તિ ગીત સાંભળીને ભારતની આજાદી ખુનોથી રંગાયલી. શહીદોને લાખ લાખ વંદન.