Press "Enter" to skip to content

કોણ માનશે

નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા હતા કે ધીરજના ફળ મીઠા. કપરા સંજોગોમાં ઢાલ જેવું આ વાક્ય કંઈક અનોખી રીતે આ ગઝલમાં વ્યક્ત થયું છે. શૂન્યની કલમે થયેલ અમોલા સર્જનોમાંનું આ એક છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ ઈશ્વર વિશે, એની સર્વવ્યાપકતા વિશે અને અહમ્ ના વિસર્જન વિશે ઘણુંબધું કહી જાય છે.
*
સ્વર-મનહર ઉધાસ

*
દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની, ફૂલોના પ્યારમાં !
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે ?

લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી, કોણ માનશે?

કારણ ન પૂછ પ્રેમી હૃદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય પાલનપુરી

One Comment

  1. Meet H Dave
    Meet H Dave December 20, 2020

    આહ … શું શબ્દો છે! મન પ્રફુલ્લિત થઈ ગયું!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.