Press "Enter" to skip to content

માને તો મનાવી લેજો રે


ગોપીઓ અને ગોપબાળોને ગોકુળમાં મુકીને કૃષ્ણ કર્તવ્યની રાહે મથુરા ગયા ત્યારે કૃષ્ણના વિરહમાં પીડાતી ગોપીની મનોભાવનાને  આ ગીત વ્યક્ત કરે છે. મથુરાથી ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓને જ્ઞાનનો સંદેશ આપી સાંત્વના ધરવા પ્રયાસ કરે છે પણ અવ્યક્ત કરતાં વ્યક્તને માનનાર ગોપીઓને એ ગળે ઉતરતું નથી. તેઓ ઉદ્ધવજી મારફત કૃષ્ણને સંદેશ મોકલે છે. ગીતના અંતભાગમાં .. કુબ્જાને પટરાણી કહેશું વિરહની આગ વ્યક્ત કરે છે. સ્ત્રી સામાન્ય રીતે બીજી પ્રેયસીને ધિક્કારતી હોય છે પણ કૃષ્ણ કોઈ રીતે પણ જો ગોકુળ આવતા હોય તો કુબ્જાને પટરાણી કહેવા તેઓ રાજી છે. માણો ભગા ચારણ રચિત હૃદયસ્પર્શી પદ.
*
લતા મંગેશકર

*

*
ઐશ્વર્યા મજમુદાર

*
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

– ભગા ચારણ

19 Comments

  1. Kirit Joshi
    Kirit Joshi October 1, 2008

    Very Touching .. It took me back to All India Radio of sixties.
    Marvelous voice as well.. Whose Voice & Music is that?
    [સ્વર: લતા મંગેશકર – admin]

  2. Jayshree Patel
    Jayshree Patel October 2, 2008

    લવ ધીસ ભજન. આઈ નો, લતા મંગેશકર ઈઝ વેરી ગુડ સીંગર ..

  3. Rajendra M.Trivedi,M.D.
    Rajendra M.Trivedi,M.D. October 4, 2008

    Dear Mitixa,
    Very Touching
    Your brother in law and you has touched my heart telling March Accident.
    God has kept you to give great service to your family and the society.
    Tulsidal welcomes you.
    I am taking liberty to let others Blogers and Surfers know your love for Music and God by adding you blog information in TULSIDAL..

    Editor

    Tulsidal and Trivedi Parivar

  4. Bina
    Bina October 7, 2008

    બહુજ સરસ ભજન છે. મને ખુબ પ્રિય છે. આભાર ! બિના

  5. Kalavati Merai
    Kalavati Merai December 6, 2008

    ગોપીના ભાવો ખૂબ સ્પર્શી ગયા. ખૂબ સરસ..

  6. પ્રેમલ જોષી
    પ્રેમલ જોષી December 10, 2008

    અદભુત ……. ખરેખર ખરી રીક્વેસ્ટ ” મારા વ્હાલા ને વઢી ને કે’જો ”
    ખુબ ખુબ આભાર આવી રચના મુકવા બદલ.
    જય શ્રી ક્રુષ્ણ

  7. Charoo Doctor
    Charoo Doctor December 28, 2008

    ખુબ જ સરસ વેબ સાઈટ છે. મનગમતા ગીતો સાભળવાની મજા આવી.

  8. Anil Rajyaguru
    Anil Rajyaguru December 29, 2008

    ખુબ ખુબ આભાર.
    જય શ્રીકૃષ્ણ

  9. jay bhatt
    jay bhatt January 20, 2009

    ભગા ચારણ વિશે જો કોઇ માહિતિ હોય તો આપી આભારી કરશો.
    pradip sheth
    bhavnagar
    jan 20 09

  10. Parul
    Parul April 10, 2009

    ખુબ જ સરસ ભજન. મન ખુશ થઇ ગયું. આભાર.

  11. કશ્યપ પંડ્યા
    કશ્યપ પંડ્યા April 12, 2009

    ધન્ય છે “ભગા ચારણ” ને. ભજન ખુબ હૃદયસ્પર્શી છે. ધન્યવાદ મિતીક્ષા ને.

  12. Ranjan Pandya
    Ranjan Pandya April 14, 2009

    મીતિક્ષાબેન,
    ૧૯૫૦’ થી ૧૯૬૦’ માં ઑલ ઇંડિયા રેડિયો બોમ્બે પરથી બપોરે ૧૨.૫૦ મધુર ગીતો આવતા હતા. તેમાં સાંભળેલ બે ગીતોની શરૂઆતની પંક્તિ જણાવું છું. શક્ય હોય તો આખું ગીત આપશો તો આભારી થઈશ.

    ૧. સ્વર છે શાંતા આપ્ટૅ નો….શબ્દો છે..
    પૂછે છે દીકરી,બાપુ કહોને વીરા કહોને
    દીકરી શાને બિચારી રે….પૂછે છે દીકરી…

    ૨.ગીતા દત્તના સ્વરમાં…
    પનિહારી ઓ પનિહારી ઓ,
    ચાલો યમુનાજીને કાંઠડે મીઠડાં જળ ભરવા …..

  13. kanchankumari parmar
    kanchankumari parmar August 29, 2009

    રિસામણા અને મનામણા યુગો યુગોથી ચાલતા આવ્યા છે. પણ અંત હંમેશા સુખદ આવે એવું હર કોઇ ચાહે છે……….

  14. Umesh Kalaria
    Umesh Kalaria November 23, 2009

    બહુજ સરસ ભજન છે. . આવી રચના મુકવા બદલ ખુબ ખુબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.