Press "Enter" to skip to content

તને મારા સોગંદ


હરીશ મિનાશ્રુની આ કૃતિ સંવેદનથી છલોછલ છે. આંસુથી વેદનાની અભિવ્યક્તિ થાય પણ માછલી, જે પાણીમાં રહેતી હોય  એ વેદનાની અભિવ્યક્તિ કેવી રીતે કરે ? એના આંસુને કેવી રીતે ઓળખવા ?  વળી જીવ સોંસરતી ઘૂઘવતી વેદનાને દરિયો કહે .. કાબિલે તારીફ છે. સુંદર રચના માણો કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે.
*

*
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ
મને મોરલી કહે, મોર પીછું કહે,
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
હું તો પાણીમાં તરફડતી માછલી;
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
ખાલીખમ શ્રીફળની કાચલી;

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ જાણે,
સૂકેલા પાંદડાની જાળી:
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે,
મને માણસ કહે તો તને મારા સોગંદ.

– હરીશ મિનાશ્રુ

7 Comments

  1. Kuldeepsinh
    Kuldeepsinh August 5, 2014

    સુંદર રચના

  2. Chandralekha Rao
    Chandralekha Rao August 4, 2011

    સુંદર રચના અને સ્વરાંકન …….

  3. નિરત
    નિરત December 19, 2009

    સુન્દર

  4. manvant
    manvant January 17, 2009

    આ ગીત સાંભળવા ના મળ્યું !
    [ગીત બરાબર વાગે છે. તમે ફરી વાર પ્રયત્ન કરી જોજો. – admin ]

  5. કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
    હું તો પાણીમાં તરફડતી માછલી;
    જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
    ખાલીખમ શ્રીફળની કાચલી;

    વાહ.

    બસ. શબ્દો નથી મળતાં. શું કોમેંટ લખું.

  6. pragnaju
    pragnaju August 25, 2008

    આ ફ રી ન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.