Archive for the 'વીણેલા મોતી' Category

આદિલ મન્સૂરી

Saturday, November 8th, 2008

લગભગ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને પોતાની ગઝલો, નાટકો અને અછાંદસ કાવ્યો દ્વારા નવી રોશની પ્રદાન કરનાર આદિલ મન્સૂરી સાહેબનું 72 વર્ષની વયે ગઈકાલે ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’, ‘પેન્સીલની કબરમાં’ જેવા ગ્રંથોના સર્જક આદિલભાઈ એક સુંદર કેલિયાગ્રાફર પણ હતા તે બહુ ઓછાને ખબર હશે. અમદાવાદને ‘નદીની રેતમાં રમતું નગર [...]

વીણેલાં મોતી - 2

Thursday, October 23rd, 2008

આપણા દરેકમાં આપણા માતાપિતા સૂક્ષ્મ રૂપે જીવતા હોય છે. એમના તરફથી આપણને ન માત્ર રૂપ અને આકાર મળે છે પરંતુ સંસ્કાર, શોખ અને જ્ઞાનનો ખજાનો પણ જાણ્યે-અજાણ્યે મળે છે. આ વેબસાઈટ શરૂ થઈ તો પપ્પાએ એમની 1950-1975 સુધી લખેલી ડાયરીઓ કાઢી અને એમાંના કેટલાક ચૂંટેલા શેર અને મુક્તકો મોકલાવ્યા. આજે એ અહીં રજૂ કર્યા છે. [...]

મૃત્યુ

Saturday, July 26th, 2008

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ]
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે [...]

વીણેલાં મોતી

Monday, July 7th, 2008

[Audio clip: view full post to listen]
[ આજે થોડાક ચૂંટેલા શેર જોઈએ. ]
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.
- મનહરલાલ ચોકસી
*
ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે
વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે.
આભને આંબી જવાના હોય [...]