Archive for the 'રુબાઈઓ' Category

ઉમર ખૈયામની રુબાઈઓ – 8

Friday, December 4th, 2009

મિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને ?
આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર,
એની માયામાં ન લપટાજે થઇને બેખબર;
થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં,
હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ મર”.
*
કાળની વણઝાર ચાલી [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 7

Thursday, June 18th, 2009

મિત્રો, આજે ઘણાં દિવસ પછી ફરી એક વાર માણીએ ઉમર ખૈયામની રુબાઈઓ. ધર્મ-અધર્મ વિશે ઘણું લખાયું છે. બાહ્ય દેખાવથી ધાર્મિક હોવાનો દેખાવ કરતાં લોકો પર કટાક્ષ કરતી રુબાઈઓ આજે માણીએ. ઉમર ખૈયામ વિશે, રુબાઈઓ વિશે અને શૂન્યના આ અદભુત અનુસર્જન વિશે તથા અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલી રુબાઈઓ વાંચવા માટે અનુક્રમણિકા જોવાનું ભૂલશો નહીં.
ઓ શિખામણ આપનારા [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 6

Monday, March 2nd, 2009

દોસ્તો, આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. ઘેરા તત્વજ્ઞાનથી સિંચાયેલ આ કડીઓ વારંવાર વાંચીએ તો જીવનનો મર્મ સમજાય એમ છે. મૂળ ફારસીમાં લખાયેલ અને ઉમદા ચિંતનથી ભરેલ આ રુબાઈઓ આપણને ગુજરાતીમાં વાંચવા મળે છે તે શૂન્ય પાલનપુરીએ કરેલ ભાવાનુવાદને આભારી છે. આમ તો બધી જ રુબાઈઓ મને ગમે છે પણ અહીં સૌથી પ્રથમ મૂકેલી [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 5

Monday, February 9th, 2009

આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. જીવનની વિનાશશીલતા વિશે ઘણું લખાઈ ચૂક્યું છે. મોત આવવાનું જ હોય તો પછી એની બીક કેવી ? જે ઉદારતાથી ઈશ્વરે આપણને જિંદગી આપી એવી જ ખુમારીથી આપણે એને એ પાછી ન આપીએ ! કેટલી સરસ વાત ! વળી આપણે નાશવંત શરીર નથી પણ અમર આત્મા તત્વ છીએ, એ [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 4

Sunday, December 28th, 2008

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ સમયાંતરે પ્રસ્તુત [...]