Archive for the 'રાસ-ગરબા' Category

બોલાવે રાધા

Tuesday, October 7th, 2008

કર્તવ્યની રાહે ચાલી નીકળી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા અને રાધાને માટે વિરહની વેદનાના દિવસો ઉગ્યા. જેમતેમ કરી દિવસો કાપતી રાધાને જ્યારે રાસ રમવાનું ટાણું આવ્યું ત્યારે એના હૈયામાં તીર લાગ્યું. અત્યાર સુધી કૃષ્ણની સુખદ સંનિધિમાં માણેલો સમય એની આંખની હવેલીમાં સપનાં બની ઉભો રહ્યો. વિરહમાં બાંવરી બનેલી રાધારાણીની મનોદશાને વ્યક્ત કરતું આ સુંદર [...]

વેણુ વગાડતો

Monday, October 6th, 2008

ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો. [સ્વર: અચલ મહેતા]
[Audio clip: view full post to listen]
વેણુ વગાડતો … વેણુ વગાડતો
વેણુ વગાડતો, ગાયો હંકારતો
આયો જશોદાનો કાનડો … વેણુ [...]

મુને એકલી મૂકીને

Sunday, October 5th, 2008

રુઠેલી રાધાને મનાવવા શ્રીકૃષ્ણ એની સાથે રાસ રમે છે તે અન્ય ગોપીઓને નથી ગમતું. સ્ત્રીસહજ ઈર્ષાથી પીડાતી ગોપી કૃષ્ણને ફરિયાદ કરે છે, જેમ ફાવે તેમ સંભળાવે છે. ત્યાં સુધી કે એને હરાયો ઢોર કહે છે. ગોપીના મનોભાવોને વાચા આપતું આ પદ સાંભળો અચલ મહેતાના સ્વરમાં.
[Audio clip: view full post to listen]
હે મુને એકલી મૂકીને રમે [...]

તારા વિના શ્યામ

Saturday, October 4th, 2008

શુદ્ધ, પારદર્શક અને દિવ્ય પ્રેમનું સૌથી અદભુત ઉદાહરણ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. પવિત્ર પ્રેમ મનઅંતરમાં શાશ્વત છાપ અંકિત કરી જાય છે. જ્યારે પોતાનું પ્રિય પાત્ર પાસે ન હોય ત્યારે વિરહ સાલે છે, હૃદય એક અકથ્ય વેદનાનો અનુભવ કરે, એ સ્વાભાવિક છે. રાસ રમવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સ્થૂળ ગેરહાજરીમાં રાધા એકલતાનો અનુભવ કરે [...]

વ્હાલમની વાત

Wednesday, October 1st, 2008

મનમાં જે વાત ઘોળાતી હોય તે કોઈને કહી દેવાથી હૃદય હલકું થઈ જાય. પણ પોતાના પ્રિયતમની વાતને એમ કાંઈ કોઈને કહી દેવાય ? … પ્રેમને ગમે તેટલો ગુપ્ત રાખવા મથો પણ આખરે તો તે વ્યક્ત થયા વિના નથી રહેતો. સુંદર ભાવભરેલી આ રચના માણો અતુલ પુરોહિતના મધુર સ્વરમાં.
[Audio clip: view full post to listen]
વ્હાલમની વાત [...]