Archive for the 'ભજન' Category

મીરાં તમે પાછા ઘેર આવો

Thursday, April 23rd, 2009

“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ [...]

નંદલાલાને માતા જશોદાજી સાંભરે

Thursday, April 2nd, 2009

ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની [...]

રામ રાખે તેમ રહીએ

Wednesday, March 4th, 2009

ઈશ્વરને મેળવવા ભક્તિમાર્ગનો આધાર લેનારે સર્વસમર્પણની તૈયારી રાખવી પડે છે. જે પણ પરિસ્થિતિ આવી પડે એને પ્રભુનો પ્રસાદ માની આનંદથી સ્વીકારવી પડે છે. મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસમર્પણ કર્યું હતું. સાંવરિયાને મળવાના માર્ગમાં જે પણ વિઘ્નો આવે, જે પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેને માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી. એમની એ ખુમારી આ ભજનમાં છલકે [...]

ભુતળ ભક્તિ પદારથ

Wednesday, February 4th, 2009

ભક્તિનો મહિમા અનેક ગ્રંથોમાં ગવાયો છે. અહીં ગુજરાતી ભાષાના આદિકવિ એવા નરસિંહ મહેતા ભક્તિનો મહિમા પોતાની આગવી રીતે ગાઈ બતાવે છે. પૃથ્વીલોકમાં જ પ્રભુની ભક્તિ કરી શકાય છે. પુણ્યવાન આત્માઓ બ્રહ્મલોકમાં જાય છે પણ ત્યાં પુણ્ય પુરા થતા પાછાં તેમને પૃથ્વી પર આવવું પડે છે. સાચા ભક્તો એથી મુક્તિની કામના કરતા નથી પરંતુ પ્રભુની ભક્તિ, [...]

ભોમિયો ખોવાયો

Thursday, January 29th, 2009

જ્યારે પ્રેરણાના પિયૂષપાન પાનાર માર્ગદર્શક કે જીવનની મુશ્કેલ પળોમાં રાહ બતાવનાર પથપ્રદર્શક સ્થૂળ શરીરે વિદાય લે છે ત્યારે જે શૂન્યવકાશ સર્જાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. માર્ગ ચીંધનાર એવા ભોમિયાની ગેરહાજરીમાં સર્જાતા ભાવજગતને બખૂબીથી વ્યક્ત કરતું એક હૃદયસ્પર્શી પદ આજે સાંભળીએ બે ભિન્ન સ્વરોમાં.
[આલ્બમ: અમર સદા અવિનાશ]
[Audio clip: view full post to listen]
[Audio [...]