આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ બ્લાઉઝ પહેરી, લેટેસ્ટ ફેશનના અને દરરોજ અલગ અલગ ચણિયાચોળી પહેરી ફિલ્મી ગીતોની ધૂન પર ડીસ્કો ગરબા (ગરબા કહેવાય?) ગવાય છે. હજી એનાથી વધુ શું થાય છે તે લખવાનું મન થતું નથી. પણ આવે વખતે માતાજીને ખરા ભાવે સ્તુતિ કરીએ કે હે મા, દુર્બુદ્ધિને દૂર કરી સૌને સદબુદ્ધિ આપો. તમે આખા વિશ્વના જનેતા છો, અમે સૌ તમારા બાળકો છીએ. અમે સંસારચક્રમાં ફસાયા છીએ. આ મહાભવરોગમાંથી અમને સૌને ઉગારો. સાંભળો મને નાનપણથી જ ખુબ ગમતી વિશ્વંભરી સ્તુતિ બે અલગ સ્વરમાં.
*
*
*
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
ગુજરાતી સાહિત્યને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જેવી અમર કૃતિ ધરી જનાર રાવજી પટેલની એક વધુ લોકપ્રિય કૃતિ આજે માણીએ. જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની યુવાન વયમાં સ્વર્ગસ્થ થનાર કવિ રાવજી પટેલ વિશે વાંચશો તો એના દર્દનો થોડો પણ અહેસાસ થશે. બે પાત્રો વચ્ચેના વૈષમ્યને ધાર કાઢતી આ તળપદી ભાષામાં રચાયેલ અને ગ્રામીણ પરિવેશમાં ગૂંથાયેલ રચના વારંવાર સાંભળવી ગમે તેવી છે.
*
આલ્બમ – આંખે કંકુના સૂરજ આથમ્યા
પિયુ પથારીમાં સૂતો હોય અને એની પડખે ધીરેથી આવીને સુઈ જવાની કલ્પના માત્ર કેટલી રોચક છે. સ્ત્રીના હૈયામાં ઉમટતી લાગણીઓના ભાવજગતનું રોચક શબ્દાંકન આ ગીતમાં થયું છે. આજે માણીએ કવિ શ્રી વિનોદ જોશી રચિત આ સુંદર ગીત શ્રી અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*
મિત્રો આજે પંદરમી ઓગષ્ટ, ભારતમાતાનો સ્વતંત્રતા દિન. આઝાદીના બાસઠ વર્ષ આજે પૂરા થાય છે. અત્યારે દેશના અડધાથી વધુ નાગરિકો 1947 પછી જન્મેલા છે. એથી આઝાદીનું મહત્વ, એની કિમ્મત એમની કદાચ એટલી નથી જેટલી એનાથી પહેલાં જન્મેલી પેઢી હોય. સ્વતંત્ર હવામાં શ્વાસ લેવાનું ગૌરવ લેનાર દરેક ભારતવાસીનું મન આજે તિરંગા સામે ઝૂકશે – આપોઆપ ઝુકવું જોઈએ. ચાલો આપણે સૌ સાથે મળી આઝાદી માટે જેમણે પોતાના જાનનું બલિદાન આપ્યું એવા નામી-અનામી દરેક શહીદોનું ઋણસ્વીકાર કરીએ અને આપણા રાષ્ટ્રધ્વજને સદાય ઉન્નત રાખવાના પ્રયત્નો કરીએ.
*
આલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક-સૂરમંદિર
*
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.
સદા શક્તિ સરસાનેવાલા, પ્રેમસુધા બરસાનેવાલા,
વિરોં કો હર્ષાનેવાલા, માતૃભૂમિ કા તનમન સારા
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
શાન ન ઈસકી જાને પાયે, ચાહે જાન ભલે હી જાયે
વિશ્વ વિજય કરકે દિખલાયે, તબ હોવે જગ પૂર્ણ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
આવો પ્યારોં, આવો વીરો, દેશધર્મ પર બલિ બલિ જાઓ,
એક સાથ સબ મિલકર ગાઓ, પ્યારા ભારત દેશ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
આજે રક્ષાબંધન-ભાઈબહેનના પવિત્ર પ્રેમનું પર્વ. આજે બેન ભાઈને હાથે રાખડી બાંધશે, ગળ્યું મોઢું કરાવશે અને બદલામાં ભાઈ પોતાની બહેનની રક્ષાનો સંકલ્પ કરશે. બ્રાહ્મણો આજે જનોઈ બદલશે અને સાગરખેડુઓ પોતાના દેવ એવા દરિયાદેવને અર્ઘ્ય આપશે અને સાગરમાં એમની રક્ષા થાય એ માટે પ્રાર્થના કરશે. ઈતિહાસ જોઈશું તો માલૂમ પડશે કે રાખડી માત્ર બહેન ભાઈને બાંધે એવું નહોતું. સૂતરના તાંતણાવાળી રાખડી પવિત્ર પ્રેમ સાથે રક્ષાનું પ્રતીક મનાતું. રાખડીનો મહિમા દર્શાવતો મહાભારત યુદ્ધનો એક પ્રસંગ આજે જોઈશું. અર્જુનપુત્ર અભિમન્યુ યુદ્ધમાં જવાનો હતો ત્યારે કુંતી એને રક્ષા બાંધે છે કારણ અભિમન્યુને પરાસ્ત કરવા કૌરવોએ સાત કોઠાની ચક્રવ્યુહ સમી સંરક્ષણની દુર્ભેદ્ધ દિવાલ ઊભી કરેલી. આ સંવાદમય રચનામાં કુંતી શૌર્યના પાઠ ભણાવવાની સાથે યુદ્ધમાં દરેક કોઠા પર કોનો સામનો થશે એની યુવાન અભિમન્યુને ઝાંખી આપે છે.
*
સ્વર- પરેશ વાડીયા; આલ્બમ- હરિ ઓમ તત્સત