Archive for the 'મનહર ઉધાસ' Category

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો

Wednesday, December 16th, 2009

શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં. (આલ્બમ – અરમાન) ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા, તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. * નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ [...]

હું નથી પૂછતો, ઓ સમય!

Saturday, November 28th, 2009

શૂન્ય પાલનપુરી મારા ગમતા શાયર. એમની ગઝલોમાં તત્વજ્ઞાન ડોકાય, એક ઊંડાણ જે વાચકને અચૂક સ્પર્શે. આજે એમની એક ગઝલ પ્રસ્તુત છે ..દર્દની લાગણીના ઘણા રૂપ છે … એ મારો મનગમતો શેર છે. જેના એક એક શેર પર દુબારા કહેવાનું મન થાય એવી આ સુંદર ગઝલને આજે માણીએ મનહર ઉધાસના કંઠે. હું નથી પૂછતો, ઓ સમય! [...]

ક્ષમા કરી દે !

Thursday, November 12th, 2009

આજે માણો શૂન્ય પાલનપુરીની એક લાંબી બહેરની ગઝલ મનહર ઉધાસના સ્વરમાં. તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે ! હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ? મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે ! હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ, પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ ! [...]

જેને ખબર નથી કે

Thursday, August 27th, 2009

ગઝલનો જન્મ ઉર્દુ-ફારસીમાં થયો હોવાનું મનાય છે. એ સમયની ગઝલોમાં સુરા, જામ, સાકી વગેરેનો ઉલ્લેખ અચૂક જોવા મળતો. એવા જ લોકો ગઝલની સભાઓમાં જતા. કદાચ બીજા કોઈ એમાં પહોંચી જાય તો તેઓને એની ગતાગમ જ ન પડે, એને યથાર્થરૂપે માણી ન શકે. શૂન્યે એથી જ આ ગઝલમાં કહ્યું કે જેને વિષય પરત્વેનું જ્ઞાન ન હોય [...]

સમય

Monday, July 27th, 2009

બચપણથી યુવાની અને યુવાનીથી વૃદ્ધાવસ્થાની મજલ આમ તો વરસોની છે પણ લાગે કે જાણે પળમાં કપાઈ જતી હોય. સમય ક્યારેક બેરહમ થઈ કોઈને અધવચ્ચેથી ઉઠાવી લે છે, તો કોઈને વરસોનાં વરસ ઝાકળમાં સ્નાન કરાવ્યા કરે છે. આવતીકાલ ઉગશે કે નહીં એની નિશ્ચિતતા (surity) નથી એટલે જ માનવને નિશ્ચિંતતા (peace, comfort કે ease) નથી લાગતી. કવિ [...]