Archive for the 'મનહર ઉધાસ' Category

મીનાબજારે ઊભો છું

Sunday, November 9th, 2008

ટોચ પર પહોંચવાનું જેટલું અઘરું હોય છે તેનાથી પણ વધુ અઘરું ટોચ પર ટકી રહેવાનું હોય છે. ટોચ પર પહોંચ્યા પછીની એ જાગૃતિ છેલ્લી પંક્તિમાં ઝળકે છે. સાંભળો અમૃત ઘાયલની એક યાદગાર રચના મનહર ઉધાસના સ્વરમાં.
[Audio clip: view full post to listen]
કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની [...]

મહેફિલની શરૂઆત

Sunday, October 12th, 2008

[Audio clip: view full post to listen]
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો [...]

છેતરી જાશે

Saturday, September 27th, 2008

કૈલાશ પંડિતની અતિ લોકપ્રિય રચના. સાંભળો મનહર ઉધાસના મખમલી કંઠે.
[Audio clip: view full post to listen]
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી [...]

યાદ આવે છે

Monday, September 15th, 2008

આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. પૂર્વથી ચાલી આવતી માન્યતા મુજબ દિવંગત થયેલ સ્વજનોને યાદ કરીને કાગવાસ નાખી, દાન કરી, લોકોને જમાડી અંજલિ આપવામાં આવશે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિ હયાત હોય એ સમયે તેને આદર, સન્માન, પ્રેમ અને લાગણી ન આપી હોય ને મર્યા પછી રૂઢિ મુજબ ઈચ્છિત વસ્તુઓ આપવામાં આવે. [...]

શાંત ઝરુખે

Thursday, September 11th, 2008

આજે 100 મી પોસ્ટ. આટલા ટૂંકા સમયમાં ઘણાં બધાં સાહિત્યરસિકોને મળાયું, કંઈક પમાયું, કંઈક વહેંચી શકાયું એનો આનંદ છે. આપે જે ઉમળકા અને પ્યારથી અત્યાર સુધી મૂકેલી દરેક કૃતિને વધાવી છે એમ આગામી દિવસોમાં પણ વધાવતા રહેશો અને હજુ વધુ સારી પસંદગી મૂકી શકીએ, વધુ સારી રીતે રજૂ કરી શકીએ એ માટે સૂચનો કરતા રહેજો.
આજે [...]