Archive for the 'આશિત દેસાઈ' Category

ટોળાંની શૂન્યતા છું

Monday, June 15th, 2009

આજે જવાહર બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. આ ગઝલને અનેકવાર માણી છે અને છતાં ધરાવાતું નથી. આપણા બધાની જિંદગીનો સૂર આ ગઝલમાં વ્યક્ત થયો છે. ટોળાંની શૂન્યતા છું, શૂળી ઉપર જીવું છું .. કેટલું બધું કહી જાય છે. આપણે બધા એક રગશિયા ગાડાંમાં સવાર થઈને જિંદગી જીવી રહ્યા છે, જીવનનો મર્મ ભૂલી ગયા છીએ, જીવનને [...]

દૂરતા કોઈ વખત મોંઘી પડી

Wednesday, February 25th, 2009

પ્રિય વ્યક્તિનો વિયોગ સાલે તે સ્વાભાવિક છે પરંતુ કેટલીક વાર નીકટ રહેવાથી નીપજતી પરિસ્થિતિ એટલી કરુણ અને દર્દનાક હોય છે કે આપણને એમ થાય કે એના કરતા તો દૂર રહેલા સારા. યાદ આવે છે પેલી પ્રસિદ્ધ પંક્તિઓ …
સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.
આ જ ભાવોને મૂર્ત [...]

શિવ સ્તુતિ

Monday, February 23rd, 2009

આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ.
[આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ]
[Audio clip: view full post to listen]
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
નથી ઐશ્વર્યની તુલના, પતિ [...]

માણસ ઉર્ફે

Saturday, November 22nd, 2008

માણસ શું છે ? માણસ નામની આ ઘટનાને જુદી જુદી વ્યક્ત કરી શકાય એમ છે. ક્યાંક એ રેતી બની વિખેરાતો હોય છે, ક્યારેક સમંદર બની લહેરાતો હોય છે, ક્યારેક કોઈની યાદમાં ખોવાઈ ગયેલો હોય છે. એની આંખોમાં સમયના વિવિધ રંગો ખુલ્લી બારીમાં પલટાતાં દૃશ્યોની જેમ પલટાતાં રહે છે. નયન દેસાઈની આ કૃતિ એના શબ્દલાલિત્યને લીધે સુંદર [...]

મોર બની થનગાટ કરે

Friday, October 10th, 2008

રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા [...]