Archive for the 'નરસિંહ મહેતા' Category

રામ સભામાં અમે

Wednesday, December 31st, 2008

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલા અનેકવિધ પદોમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓને વણી લીધી છે. પ્રસ્તુત પ્રભાતિયામાં હરિનો રસ પીવાને કારણે થયેલી દશા વર્ણવવામાં આવી છે. જ્યારે પ્રભુનામનો નશો રોમેરોમ વ્યાપી જાય ત્યારે ભક્ત ભગવાન જેવો થઈ જાય છે. એને ઈશ્વરનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તદ્રુપતાની એ ઉચ્ચોચ્ચ અવસ્થામાં નરસૈયો ઝૂમીને ગાય છે. તો આજે [...]

ઊંચી મેડી તે મારા સંતની રે

Saturday, December 6th, 2008

[Audio clip: view full post to listen]
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા [...]

આજની ઘડી રળિયામણી

Sunday, November 30th, 2008

જીવનમાં જ્યારે ઈશ્વર કે ઈશ્વરતુલ્ય સંતપુરુષોનું આગમન થાય છે ત્યારે તે ઘડી રળિયામણી બની જાય છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા પોતાની અનુભૂતિને શબ્દનો આકાર આપી કહે છે કે એના દર્શન માટે તો તન મન અને ધન આપી દઈએ તો પણ કમ છે. પોતાનો આનંદ વ્યક્ત કરવા નરસિંહ મહેતા પારંપરિક સ્વાગતના રૂપકો પ્રયોજે છે. હેમાબેનના સુંદર [...]

જળકમળ છાંડી જાને બાળા

Thursday, November 20th, 2008

ભગવાન કૃષ્ણની બાળલીલાઓમાં કાલિયનાગ-મર્દન ખૂબ પ્રસિદ્ધ છે. યમુનાના પાણીને પોતાના એકાધિકારથી અન્ય મનુષ્યો, પશુઓ અને પક્ષીઓથી વંચિત રાખનાર કાલિયનાગના ત્રાસથી મુક્ત કરાવવા ભગવાન કૃષ્ણે આ લીલા કરી હતી. કાલિયનાગ સાથે દુશ્મનાવટ વહોરી સંઘર્ષ માટે તૈયાર થયેલ બાળકૃષ્ણને નાગણો પાછો જવા સમજાવે છે, બદલામાં પોતાનો નવલખો હાર આપવાની લાલચ આપે છે. પરંતુ ભક્તોની રક્ષા અને દુષ્ટોના વિનાશનું [...]

વૈષ્ણવજન તો

Sunday, June 22nd, 2008

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં.
[Audio [...]