Archive for the 'બરકત વિરાણી બેફામ' Category

થઇ જશે જ્યારે પ્રણય તમને

Saturday, June 6th, 2009

મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ.   સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને, થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને. હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું, કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને. મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો, કશું કહેવા નથી દેતો કદી મારો [...]

ઓ હૃદય !

Wednesday, May 6th, 2009

પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા. તો અંતિમ પંક્તિમાં મૃત્યુ પછીનું દેખાવા માટે કરાતું રુદન કવિને કઠે છે. કારણ જે [...]

દિલની દવા લઈને

Monday, April 20th, 2009

મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ. શ્વાસ બંધ થાય એટલે માણસ મૃત્યુ પામે. કવિઓએ એ ઘટનાને વિવિધ રીતે મૂલવી છે. બેફામે એ ઘટનાને એમની અનોખી રીતે મૂલવી. શ્વાસ બંધ થયો કારણ કે પૃથ્વીની હવા લઈને જન્નતમાં નહોતું જવું. જરા ગૂઢ રીતે વિચારીએ તો શરીર શું છે ? પંચમહાભૂતનું બનેલ માળખું. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે આત્મા જ [...]

ઘરથી કબર સુધી

Tuesday, March 24th, 2009

આ ગઝલનો મક્તાનો શેર દરેક ગઝલપ્રેમીએ સાંભળ્યો હશે. આ જિંદગીની દડમજલમાં દોડીદોડીને આખરે ક્યાં જવાનું છે .. ઘરથી કબર સુધી જ. જો આ સત્ય સમજાઈ જાય તો થઈ ગયું. બેફામની આ સુંદર રચના આજે માણીએ. સપના રૂપેય આપ ન આવો નજર સુધી; ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.   મારા હૃદયને પગ તળે [...]

વિસરવા પણ નથી દેતાં

Saturday, February 7th, 2009

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં, છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં. ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી, અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં. હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે, સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં. ભલે મળતાં નથી, પણ એ [...]