Archive for the 'અવિનાશ વ્યાસ' Category

કહું છું જવાનીને

Friday, November 7th, 2008

ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા - બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. [...]

ઓછા રે પડ્યાં

Tuesday, October 14th, 2008

આજે શરદપૂનમ છે ત્યારે અવિનાશભાઈની આ અમર કૃતિ સહેજે યાદ આવે છે.
[Audio clip: view full post to listen]
લાખ કરે ચાંદલિયો તોયે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તોયે ઊગી ન ઊગે પૂનમ રાત
ઓછાં રે પડ્યાં.. ઓછાં રે પડ્યાં…
પૂનમ તારાં અજવાળાં ઓછાં રે પડ્યાં.
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંય ના જડ્યા [...]

માડી તારું કંકુ ખર્યું

Friday, October 3rd, 2008

અવિનાશભાઈની અમર કૃતિ. ગુજરાતી સંગીતની વાત થાય તો તેમાં અવિનાશભાઈનું નામ ટોચ પર આવે. અને એમાંય અવિનાશભાઈના સૌથી સુંદર ગીતોની યાદી બનાવીએ તો બેશક આ ગીત ટોપ ટેનમાં આવે. અત્યંત હૃદયસ્પર્શી ભાવો અને એને એટલી જ કમનીયતાથી દિગ્ગજ ગુજરાતી ગાયક રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈએ કંઠ આપ્યો છે. સાથે સાથે આશા ભોંસલેના સ્વરમાં પણ વારંવાર [...]

સૂના સરવરીયાને કાંઠડે

Tuesday, September 30th, 2008

આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા આદ્યશક્તિ જગદંબાના મહિમાને ઉજાગર કરતું આ પર્વ શક્તિનો મહિમા દર્શાવી તેની પૂજા કરવાનો સંદેશ આપે છે. બંગાળમાં દુર્ગાપૂજા પણ આજથી શરૂ થશે. ગુજરાતનું ભાતીગળ ગણાતો ગરબો એના શિખર પર ચઢી આજે શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે ગાજશે. વડોદરા તો ગરબાની રાજધાની ગણાય. જમણી બાજુના મીડિયા પ્લેયરમાં તમે વડોદરાના [...]

મારું મન મોહી ગયું

Monday, September 1st, 2008

આજે જ્યારે પનઘટ, બેડલા, પાણી ભરવા જતી પનિહારીઓ અને ગ્રામ્ય પરિવેશ અદૃશ્ય થવાની તૈયારીમાં છે ત્યારે અવિનાશભાઈની આ સુંદર રચના આપણને નૈસર્ગિક તાજગીથી છલકાતા ગ્રામ્ય ભાતીગળમાં તાણી જાય છે. માણો સુમધુર સંગીતથી મઢેલ આ સુંદર ગીતને.

આલ્બમ : અમર સદા અવિનાશ
[Audio clip: view full post to listen]
[Audio clip: view full post to listen]
[Audio clip: view full post to [...]