Archive for the 'મારા તરફથી' Category

શુભ દિપાવલી

Tuesday, October 28th, 2008

પ્રિય વાચકમિત્રો,
સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે …
આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે
દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં
પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી હાર્દિક શુભેચ્છા.
આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે
કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ,
કોઈક મૂરઝાયેલાં ચ્હેરાંઓ પર સ્મિત ઝળકાવી શકીએ …
કોઈને જીવનઆંગણે મધુર [...]

હસ્તિનાપુર

Monday, October 13th, 2008

મહાભારત સર્જાવાનું એક મુખ્ય કારણ હસ્તિનાપુરની રાજસભામાં થયેલ દ્રૌપદીનું વસ્ત્રાહરણ હતું. આજે સમય બદલાયો છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનો પવન જોરશોરમાં ફૂંકાવા માંડ્યો છે. પહેલાં જેનાથી નાકનાં ટેરવા ચઢી જતાં તે આજે લગભગ સહજ બની ગયું છે. અમેરિકા અને યુરોપમાં હોટલ-મોટલ માત્ર રાતવાસાનું સ્થળ નથી પણ અનૈતિક સંબંધોને વધારવાનું ધામ થઈ ગયું છે, ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં મહાભારતના [...]

તો લાગી આવે

Sunday, September 28th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજુ કરું છું. સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી [...]

ચોકલેટ

Friday, September 12th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજુ કરું છું. પ્રેમને અભિવ્યક્ત કરવાના અનેક રસ્તા છે. સદીઓથી પુષ્પ અને પ્રેમપત્રોનો ઉપયોગ પ્રેમ પ્રદર્શાવવા થતો આવ્યો છે પણ આજકાલ ચોકલેટ પ્રેમની અભિવ્યક્તિ માટેનું એક જરૂરી માધ્યમ બની ગઈ છે. માણો આધુનિક સમયની સાથે તાલ મિલાવતી આ ચોકલેટી કૃતિ … અને હા, એ તમને કેવી લાગી તે અવશ્ય જણાવજો.
પ્રેમની [...]

ક્યાં ગયા ?

Sunday, August 24th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આજે જનમાષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ગીતામાં ભગવાને કહ્યું એ પ્રમાણે જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય અને અધર્મનો વ્યાપ વધી જાય ત્યારે પોતે ધર્મની સ્થાપના અને સજ્જનોના પરિત્રાણ માટે જન્મ લેશે. પણ આજે જગતમાં દુઃખ, દર્દ, પીડા ને પરિતાપો વધી રહ્યા છે ત્યારે મંદિરમાં મૌન થઈ મોહક [...]