Archive for the 'મારા તરફથી' Category

પ્રાણવાયુ મેળવી લઉં છું

Wednesday, September 1st, 2010

(તસવીર – નિસર્ગના ખોળે, દલાઈ લામાના નિવાસસ્થાન મેક્લીયોડગંજની પાસે આવેલ ભાગસુનાગ ગામથી ઉપર પર્વતીય આરોહણ દરમ્યાન, હિમાચલ પ્રદેશ, એપ્રીલ 2010) તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું, પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું. તમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ, મઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું. ફરી કિલ્લોલતાં ટોળે વળે છે શ્વાસના પંખી, [...]

આંસુઓ પીવાય છે

Saturday, August 21st, 2010

દુષ્કાળપિડીત માનવીઓની વ્યથા આલેખતી ગઝલ…. એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ? જળ નહીં તો આંસુઓ પીવાય છે. રણમહીં વરસ્યા કરે છે મૃગજળો, ને હરણ થઈ જીંદગી જીવાય છે. રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે, રોજ મનની માછલી વીંધાય છે. તું લખે છે હસ્તરેખામાં ગઝલ, ને અમારી પાંપણો ભીંજાય છે. આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે, [...]

એ યાદ આવે છે

Sunday, August 15th, 2010

(તસવીર સૌજન્ય – સ્વર્ગારોહણ) સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર શ્રી યોગેશ્વરજી (૧૫ ઓગષ્ટ, ૧૯૨૧ – ૧૮ માર્ચ, ૧૯૮૪)ને એમના જન્મદિને અર્પણ …. હતા કેવા પરમ યોગી તમે, એ યાદ આવે છે, કરી અંધારમાં જ્યોતિ તમે, એ યાદ આવે છે. જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન, ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે. સકળ વિઘ્નો વટાવીને થયાં [...]

ઝરણાં મળી ગયાં

Wednesday, August 11th, 2010

મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત છે. આશા છે આપને ગમશે. આંખો જરી ખુલી અને સપનાં ફળી ગયાં, રેતીના ગામમાં મને ઝરણાં મળી ગયાં. મૃગજળની ધારણા અહીં વ્હેતી હશે કદી, એથી તો હાંફતા મને હરણાં મળી ગયાં. ઉદભવની શક્યતા વિશે અટકળ કરી શકું, બે-ચાર વાદળાં મને જળમાં મળી ગયાં. ઝાકળને બાતમી હતી એના નગર વિશે, [...]

જીવતો રાખ્યો મને

Sunday, August 1st, 2010

મિત્રો, બેહાલ માનવીની વ્યથા વ્યક્ત કરતી ગઝલ. આશા છે આપને ગમશે. જિંદગી બેહાલ છે પણ જીવતો રાખ્યો મને, એ સમયની ચાલ છે કે જીવતો રાખ્યો મને. હું વીંધાવા નીકળ્યો તો, કો’ સુવર્ણમૃગ સમ, કો’ક નબળા પારધીએ જીવતો રાખ્યો મને. પ્રેમ તો એવી બલા છે કોઈને છોડે નહીં, આગ નફરતની હશે કે જીવતો રાખ્યો મને. કર્મનો [...]