Archive for the 'સંકલન' Category

સ્વ. રાવજી પટેલ

Saturday, November 15th, 2008

[ આજે પંદરમી નવેમ્બર, સ્વ. રાવજી પટેલનો જન્મદિવસ. ગુજરાતી સાહિત્યને 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' જેવી અમર કૃતિ આપી જનાર ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર ૨૮ વર્ષ ૯ માસની વયે નિઃશબ્દ થયો. તો આજે રાવજી પટેલના જીવન અને કવન વિશે જાણીએ. આ લેખ મોકલવા બદલ શ્રી રઘુભાઈનો હૃદયપૂર્વક આભાર.]

ડાકોરથી એક કાચી સડક જાય છે [...]

આદિલ મન્સૂરી

Saturday, November 8th, 2008

લગભગ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને પોતાની ગઝલો, નાટકો અને અછાંદસ કાવ્યો દ્વારા નવી રોશની પ્રદાન કરનાર આદિલ મન્સૂરી સાહેબનું 72 વર્ષની વયે ગઈકાલે ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’, ‘પેન્સીલની કબરમાં’ જેવા ગ્રંથોના સર્જક આદિલભાઈ એક સુંદર કેલિયાગ્રાફર પણ હતા તે બહુ ઓછાને ખબર હશે. અમદાવાદને ‘નદીની રેતમાં રમતું નગર [...]

વીણેલાં મોતી - 2

Thursday, October 23rd, 2008

આપણા દરેકમાં આપણા માતાપિતા સૂક્ષ્મ રૂપે જીવતા હોય છે. એમના તરફથી આપણને ન માત્ર રૂપ અને આકાર મળે છે પરંતુ સંસ્કાર, શોખ અને જ્ઞાનનો ખજાનો પણ જાણ્યે-અજાણ્યે મળે છે. આ વેબસાઈટ શરૂ થઈ તો પપ્પાએ એમની 1950-1975 સુધી લખેલી ડાયરીઓ કાઢી અને એમાંના કેટલાક ચૂંટેલા શેર અને મુક્તકો મોકલાવ્યા. આજે એ અહીં રજૂ કર્યા છે. [...]

ઉમર ખૈયામની રુબાઈઓ - 1

Tuesday, August 26th, 2008

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓ એટલા ચિંતન અને તત્વજ્ઞાનથી ભરેલી હતી કે પરમહંસ યોગાનંદ જેવા મહાપુરુષે એના આધ્યાત્મિક અર્થને ઉપસાવતું પુસ્તક પણ લખ્યું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું [...]

દેશભક્તિના ગીતો

Friday, August 15th, 2008

આજે પંદરમી ઓગષ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ. સૌ વાચકોને Happy Independence Day ! સ્વાતંત્ર્ય દિવસ મુબારક હો. આપણી પ્યારી જન્મભૂમિ બધી રીતે પ્રગતિ કરે, સુખ શાંતિ આમ આદમી સુધી પહોંચે અને ભૂખ, ભય તથા ભ્રષ્ટાચારથી મુક્ત સ્વનિર્ભર ભારતનું નિર્માણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. સ્વાભાવિક છે કે આજે દેશભક્તિના ગીતો સાંભળવા ગમે. તો લ્યો તમારે માટે દેશભક્તિના [...]