Archive for April, 2009

શબ્દનું ઘર ઊઘડે

Thursday, April 16th, 2009

અનુભૂતિના અજવાસનું અદભુત વર્ણન. અજ્ઞાનનું ઘેરાયેલ આકાશ જ્યારે જ્ઞાનની કૂંચીથી ઊઘડી જાય ત્યારે ચરાચરમાં વ્યાપક એવા વિભુનું દર્શન થાય. શ્વાસ અને ઉચ્છવાસ સાથે પ્રાણની આવનજાવન નહીં પણ જન્મ જન્માંતરની સ્મૃતિઓના પડદા ભેદાય, અને કમળને જો યોગના ગ્રંથોમાં વર્ણવેલ ચક્રની સાથે સરખાવીએ તો આખું સરોવરનું ઉઘડવું અનુભૂતિની વ્યાપકતાને કેટલી બખૂબીથી દર્શાવે છે. શબ્દોની હથોડીથી આવા સુંદર [...]

તમને સમય નથી

Monday, April 13th, 2009

પ્રણયની મધુરી કેડીમાં ક્યારેક જુદાઈના ગીત ગવાય છે. દિલમાં ભારોભાર વ્યથા હોય, મનમાં કેટકેટલા પ્રશ્નો હોય જેના ખુલાસા મેળવવાના અને કરવાના હોય પણ વાત કરવાનો મોકો જ ન મળે. કોઈ સમારંભમાં, કોઈ જાહેર સ્થળે, અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રિયજનને જુઓ પણ વાત ન કરી શકો તો ? મુક્તકમાં એ બેબસીનું કરુણ નિરુપણ છે. તો મત્લાનો [...]

જૂનું ઘર ખાલી કરતાં …

Friday, April 10th, 2009

  મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. જૂનું ઘર ખાલી કરી નવા ઘરમાં જવાના પ્રસંગો જેના જીવનમાં બન્યા હશે તેમને આ કૃતિનો મર્મ સ્પર્શી જશે. ઘર એટલે ઘરમાં ગોઠવેલી નિર્જીવ વસ્તુઓ નહીં પરંતુ હૂંફાળી યાદો, સુખદુઃખના પ્રસંગો, પડોશીથી માંડી સ્નેહી મિત્રોની સ્મૃતિઓ. એમાંય જ્યારે એ ઘરમાં પોતીકું સ્વજન ગુમાવવાનું બન્યું હોય [...]

જીવનભરના તોફાન

Monday, April 6th, 2009

આજે મરીઝ સાહેબની એક મનગમતી ગઝલ. વરસો પહેલા જ્યારે એને પ્રથમવાર સાંભળેલી ત્યારથી જ મોઢે ચઢી ગઈ હતી. બધીયે મઝાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે….માં દૃશ્ય જગતની વાસ્તવિકતા .. તથા જીવન કે મરણ એ બંને સ્થિતિમાં… લાચારીની વાત એટલી સચોટ રીતે મનમાં ઉતરી જાય છે કે વાત નહીં. માણો આ સુંદર રચના [...]

ક્યારે આવશો રામ ?

Friday, April 3rd, 2009

મિત્રો, આજે રામનવમી છે. ભગવાન રામનો જન્મદિવસ. સદીઓ પહેલાં આજના દિવસે અયોધ્યામાં માતા કોશલ્યા અને પિતા દશરથના આંગણે એમનું પ્રાગટ્ય થયું હતું. પોતાના યશસ્વી જીવનમાં આદર્શ રામરાજ્યની સ્થાપના કરવા ઉપરાંત એમણે અહલ્યા, શબરી, કેવટ, ગુહ જેવા કેટકેટલાનો ઉદ્ધાર કર્યો હતો તથા અસંખ્ય રાક્ષસોનો સંહાર કરીને ધર્મનું સંસ્થાપન કર્યું હતું. શું એવી જ રીતે કદી ભગવાન [...]