Archive for April, 2009

મને મળવા તો આવ

Tuesday, April 28th, 2009

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. પ્રત્યેક વ્યક્તિના હૈયામાં પોતાના પ્રિયતમને મળવાની ઝંખના હોય છે. એ પછી રાધાના હૈયામાં કૃષ્ણને માટે હોય, મીરાંના હૈયામાં શ્યામને માટે કે સીતાના હૈયામાં રામને માટે. અહીં સનાતન મિલનની એવી ઝંખનાને શબ્દોનું રૂપ મળ્યું છે. સાંજનો અર્થ કેવળ સૂર્યનું આથમવું નથી પણ યુવાનીના દિવસોનું વીતી જવું છે. [...]

ક્યાં ખોવાયું બચપણ મારું ?

Sunday, April 26th, 2009

મિત્રો, આજે મારી મનગમતી કૈલાસ પંડીતની રચના. મોટા થયા પછી સૌથી વધુ સાંભરતી વસ્તુ બચપણ છે. લખોટી, ભમરડા, ગિલ્લી-દંડા, પત્તાં, ચાકનાં ટુકડાં, દોસ્તદારો સાથે કલાકો રમવાનું અને એવું કંઈ કેટલુંય એ મજાની દુનિયામાં હતું. દુનિયાદારીના બોજથી વિહોણાં એ દિવસો મોટા થવાની લ્હાયમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાછળ છૂટી ગયા. કૈલાસ પંડીતે એનું અદભુત ચિત્રણ કર્યું છે. [...]

મીરાં તમે પાછા ઘેર આવો

Thursday, April 23rd, 2009

“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ [...]

દિલની દવા લઈને

Monday, April 20th, 2009

મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ. શ્વાસ બંધ થાય એટલે માણસ મૃત્યુ પામે. કવિઓએ એ ઘટનાને વિવિધ રીતે મૂલવી છે. બેફામે એ ઘટનાને એમની અનોખી રીતે મૂલવી. શ્વાસ બંધ થયો કારણ કે પૃથ્વીની હવા લઈને જન્નતમાં નહોતું જવું. જરા ગૂઢ રીતે વિચારીએ તો શરીર શું છે ? પંચમહાભૂતનું બનેલ માળખું. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે આત્મા જ [...]

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના

Saturday, April 18th, 2009

સંબંધને નામ આપવું જ પડે એવું થોડું છે ? સમાજ ભલે સંબંધોને લેબલ લગાવે પણ એવા કોઈપણ નામ વગરના સંબંધે પણ મળી શકાય, હૃદયના ભાવોની આપ-લે કરી શકાય, એકબીજાના મનના ભાવોને વાંચી શકાય. હા એમાં ઘણી રુકાવટો આવવાની. પરંતુ એમ વિરોધો અને વિઘ્નોને પાર કર્યા વગર કોઈને ઇપ્સિત વસ્તુ કદી મળી છે ? તો ચાલ [...]