Archive for January, 2009

સમય મારો સાધજે વ્હાલા

Friday, January 16th, 2009

મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધાર રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમાં ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન [...]

એ કેવી સજા છે ?

Thursday, January 15th, 2009

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આદિ શંકરાચાર્યે કહેલું છે કે મનુષ્ય જન્મ, સંતનો સંગ અને મુમુક્ષત્વ એ ત્રણ સૌથી મોટા ભાગ્ય છે. પરંતુ ઘણે ભાગે જોવા મળે છે કે માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી અને એ સંસારના કાદવમાં રમ્યા કરે છે. એ તરસનું ન જાગવું [...]

ઉત્તરાયણ – અગાશીનું આમંત્રણ

Wednesday, January 14th, 2009

આજે ઉત્તરાયણ. બધા ગુજરાતીઓ, ખાસ કરીને સુરતીઓ માટે મોટામાં મોટો ઉત્સવ. આપણે ત્યાં જે ભાતભાતના ઉત્સવો ઉજવાય છે તેમાં ઉત્તરાયણ બધા કરતાં અલગ તરી આવે છે. કારણ આજે લોકો સામાન્ય રીતે આગળ-પાછળ કે આજુબાજુ જોવાને બદલે ઉર્ધ્વગામી જોતાં થાય છે. વરસના ત્રણસો ચોસઠ દિવસ આકાશ તરફ નજર ન કરનાર માનવ પણ આજે અચૂક આકાશમાં પતંગોની સ્પર્ધાને રસથી નિહાળે છે. [...]

વણજારે ગાળેલી વાવ

Tuesday, January 13th, 2009

ભોયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ, તળિયેથી મારામાં જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી ચરણો તો કોક વાર થાકે રોકાય કોઇ રોકી શકાય નહીં છાતી અણજાણી વાર ક્યાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ રોમ રોમ જાગતી થઇ છે એક [...]

શિવાજીનું હાલરડું

Monday, January 12th, 2009

એમ કહેવાયું છે કે માતા સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. બાળપણમાં મા જે હાલરડાં સંભળાવે છે તેનાથી બાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં મોટો ફેર પડે છે. પોતાની શૂરવીરતાથી મરાઠા સામ્રાજ્યને એકસૂત્રે બાંધનાર શિવાજીના શૂરવીર વ્યક્તિત્વમાં માતા જીજાબાઈએ સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાંનો પણ ફાળો છે. બે દિવસ અગાઉ આપણે કૈલાસ પંડિતે લખેલ રચના માણી હતી. આજે માણો ઝવેરચંદ [...]